સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે પણ વરસાદે વિરામ લીધો હતો.આથી સુરેન્દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રા, દસાડા, લખતર, મુળી, ચોટીલામાં, ચુડામાં વરસાદ થયો ન હતો.જ્યારે ચોટીલા અને સાયલામાં અડધો ઇંચ વરસાદ થયો હતો.જેને લઇ એક દિવસમાં ગરમી અને બફારા વચ્ચે 3.5 ડિગ્રી તાપમાન વધ્યુ હતુ.રવિવારે લઘુત્તમ 26 અને મહત્તમ 35.5 ડિગ્રી રહ્યુ હતુ.સુરેન્દ્રનગર જિલ્લામાં થોડા દિવસોથી ચાલી રહેલી મેઘસવારીને પગલે જિલ્લામાં સર્વત્ર વરસાદ થયો હતો.જ્યારે રવિવારે આગાહી વચ્ચે વહેલી સવારથી સુર્યનારાયણ દર્શન દેવા સાથે આખો દિવસ આકરા તપ્યા હતા.આથી વરસાદી માહોલ વચ્ચે ગરમી અને બફારો થયો હતો.જિલ્લામાં એક દિવસ સુરેન્દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રા, દસાડા, લખતર, મુળી, ચોટીલામાં, ચુડામાં વરસાદે વિરામ લીધો હતો.જ્યારે ચોટીલા અને સાયલામાં અડધો ઇંચ જેટલો વરસાદ થયો હતો.આમ એક દિવસમાં ગરમીનો પારોવધવા સાથે લઘુત્તમ તાપમાન 26 અને મહત્તમ 35.3 ડિગ્રી નોંધાયુ હતુ.જ્યારે હવાની ગતી 10 કિમી અને ભેજ 80 ટકા રહ્યો હતો.જેની સરખામણી શનિવાર સાથે કરીએ તો શનિવારે લઘુત્તમ તાપમાન 26.4 અને મહત્મ 31.8 ડિગ્રી રહ્યુ હતુ.આમ એક દિવસમાં વરસાદ ન થતા ગરમીનો પારો 3.5 ડિગ્રી વધી ગયો હતો.જિલ્લા વાસીઓએ સવારથી સાંજ સુધીમાં 9.3 ડિગ્રી ફેરફાર અનભવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છેકે અત્યાર સુધીમાં જિલ્લામાં ચોમાસુ સીઝનમાં 1894 મીમી એટલેકે 31.59 ટકા વરસાદ નોંધાઇ ચુક્યો છે.જ્યારે આજે પણ જિલ્લામાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.આમ આજે ઝાલાવાડના મોટાભાગના તાલુકાઓમાં વરસાદે વિરામ લીધો હતો જેના કારણે લોકોમાં પણ રાહત જોવા મળી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maharashtra: Increasing number of complaints of child marriages is a positive step
The first step to preventing child marriage is to report it. Earlier, citizens ignored this...
કાલોલ ની એમજીએસ હાઈસ્કુલને ક્લસ્ટર કક્ષાએ બે પ્રદર્શન ને પ્રથમ ક્રમાંક મેળવ્યો
ધી. એમ.જી.એસ. હાઇસ્કુલ ના પ્રાથમિક વિભાગના કુલ બે પ્રોજેક્ટ ક્લસ્ટર કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં...
જુનાડીસામા સેવા વસ્તીમાં મીઠાઈ વિતરણ
જુનાડીસા સેવા વસ્તીમાં મીઠાઈ વિતરણ કરવામાં આવી,
સનાતનની સમાજના પવિત્ર તહેવાર દિવાળી તેમજ નવા...
Mohan Bhagwat Statement: भागवत के ज्यादा बच्चे वाले बयान पर AIMIM प्रमुख Owaisi ने किया पलटवार
Mohan Bhagwat Statement: भागवत के ज्यादा बच्चे वाले बयान पर AIMIM प्रमुख Owaisi ने किया पलटवार
देश भर में Protest कर रहे PM Modi से क्या मांग कर रहे हैं Doctors?| IMA Protest | Aasan Bhasha Mein
देश भर में Protest कर रहे PM Modi से क्या मांग कर रहे हैं Doctors?| IMA Protest | Aasan Bhasha Mein