આજ રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત પ્રાથમિક અને માધ્યમિક ચિત્ર પરીક્ષા દિયોદર તાલુકાના શાળાઓમાં યોજવામાં આવી હતી.ચિત્ર પરીક્ષા માં ત્રણ પેપર હતા..જેમાં પેપર ૧ નેચર , પેપર ૨ ભાત ચિત્ર અને પેપર ૩ સંયોજન ચિત્ર હતા. સવારે ૧૦.૩૦ થી ૫.૩૦ સુધી દિયોદર ની પ્રાથમિક શાળાઓ જે ૩૬ પરીક્ષા કેન્દ્ર હતા.ત્યાં યોજાઈ હતી..દિયોદરમાં કુલ ૧૫૫૪ બાળકો એ પરીક્ષા આપી હતી.તમામ પરીક્ષા કેન્દ્ર પર શાંતિથી પરીક્ષા યોજાઈ હતી.આ કામગીરીમાં શાળાના શિક્ષકો તેમજ શાળાના આચાર્યશ્રી અને બી.આર.સી. કૉ.ઓર્ડીનેટર તેમજ તમામ સી.આર.સી. કૉ.ઓર્ડીનેટરના સુચારુ આયોજન થકી પરીક્ષા યોજવામાં આવી હતી.તથા જિલ્લા કક્ષાએ Dpeo સાહેબ શ્રી વિનુભાઈ પટેલ, નાયબ Dpeo સાહેબ શ્રી ભરતદાન ગઢવી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું...