સાબરકાંઠા જીલ્લાના તલોદ ખાતે શ્રી જે.બી ઉપાધ્યાય હાઈસ્કૂલ દ્વારા "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત સરકારના પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે ઉપસ્થિત રહી તલોદ શહેરના નાગરિકોમાં રાષ્ટ્ર પ્રેમની ભાવના જગાવી હર ધર તિરંગા અભિયાન અંતર્ગત જાણકારી આપી અને પોતાના ધર પર ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન તિરંગો લહેરાવી તલોદ ના અને સમગ્ર રાજ્યના નાગરિકોને હર ધર તિરંગા અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી.આ કાર્યક્રમમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ બંસીલાલ મહેતા, મામલતદાર હિમાંશુભાઈ ચૌહાણ, ભાજપાના વરિષ્ઠ આગેવાન મહેશભાઈ ઉપાધ્યાય, પ્રાંતિજ વિધાનસભા વિસ્તારક વિરલ પરમાર, શહેર મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, તાલુકા બક્ષીપંચ મોરચાના મહામંત્રી ગુજરાતસિંહ ઝાલા તેમજ જે.બી ઉપાધ્યાય હાઈસ્કૂલના સર્વ શિક્ષકો તથા સૌ વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.