તારીખ 27/06/2023 ના રોજ રાજકોટ જિલ્લા ના જસદણ તાલુકાના શિવરાજપુર ગામ પાસે 45 વર્ષ ની ઉંમર ના વહિદાબેન કાશમભાઈ શેખ વાહન અકસ્માત થી ઘાયલ હાલત માં મળી આવ્યા હતા જે ની જાણ થતાં રાજકોટ જિલ્લાની જસદણ ૧૦૮ ટીમ રવાના થઈ, સ્થળ પર પહોંચતા ૧ વ્યકિત ને ઈજા પહોંચી હતી દર્દી ને તપાસતા એક દર્દી ને માથા ના ભાગ પર ઈજા પહોંચી હતી. દર્દીને પ્રાથમિક સારવાર આપી જસદણ સરકારી હોસ્પિટલ ખસેડવા માં આવ્યા હતા ઓળખ માટે તપાસ કરતાં તેમની પાસે થી અંદાજિત રૂ. 32000/- જેટલી રોકડ રકમ તથા એક મોબાઈલ અંદાજિત રૂ 13000/- મળી કુલ અંદાજિત રૂ. 45000/- તથા અન્ય અગત્યના ડોક્યુમેન્ટ્સ મળી આવેલ હતી. જે તેમના સગા કાસમભાઈ નો સંપર્ક કરી તેમને પરત આપી જસદણ 108 લોકેશનની ટીમ ઈ એમ ટી રાહુલભાઇ કુબાવત અને પાઇલોટ પંકજભાઈ પરમાર એ સહી સલામત પરત કરી એક પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું