સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાનાં અમરાપર ગામે વડીલોપાર્જીત કબજાની સરકારી ખરાબાની જમીન બાબતે છ શખ્સોએ વૃધ્ધને લાકડીથી માર માર્યાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ અંગેની વધુ વિગત એવી છે કે,થાનગઢ તાલુકાનાં અમરાપર ગામે રહેતા 65 વર્ષનાં છગનભાઈ કુંવરાભાઈ ડાભીને ભાગમાં વડીલોપાર્જીત 300 વાર જેટલો ખરાબો આવેલ છે જે 35 વર્ષથી તેમની પાસે છે. આ જમીન પચાવી પાડવા હરેશભાઈ ગોવિંદભાઈ લાંબરીયા, જયેશ છેલાભાઈ લાંબરીયા અને મંગાભાઈ ભીમાભાઈ લાંબરીયા તેમને અવાર-નવાર હેરાન કરી ઝઘડો કરતા હતા. બનાવનાં દિવસે છગનભાઈ બે દિકરાઓ સાથે દુકાને બેઠા હતા.ત્યારે બાઈક ઉપર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ફોન કરી બોલાવતા હરેશભાઈ, જયેશભાઈ અને મંગાભાઈ ત્યાં આવ્યા હતા અને લાકડી વડે તેમને માર મારવા લાગ્યા હતા. અજાણ્યા ત્રણ શખ્સો પણ મારવા લાગ્યા હતા. છગનભાઈના પત્ની ગોમીબેન વચ્ચે પડતા બધા ભાગી ગયા હતા. જ્યારે છગનભાઈને ગંભીર ઈજા સાથે રાજકોટ સારવાર માટે લઈ જવાયા હતા. આ અંગે તેમણે હરેશભાઈ ગોવિંદભાઈ લાંબરીયા, જયેશભાઈ છેલાભાઈ લાંબરીયા અને મંગાભાઈ ભીમાભાઈ લાંબરીયા સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધોળા જંક્શનમાં મહુવા થી બોટાદ તરફ જતી માંલ ગાડીના વચ્ચે થી ત્રણ- ચાર ડબ્બા ખડી પડ્યા.
હાલ માં ભાવનગર/મહુવા તથા સુરત/ મુંબઇ સુરેન્દ્રનગર એમ તમામ લાઈન બ્લોક થય ગઇ છે.
હાલ તુરંત...
ৰঙালী বিহুক আদৰিবলৈ ৰাজ্যজুৰি চলিছে প্ৰস্তুতি # ঢোল নিৰ্মানত ব্যস্ত টিহুৰ কৃষ্ণ বাদ্যকৰৰ পৰিয়াল #
চাওতে চাওতে পদুলিমুখ পালেহি হেপাহৰ ৰঙালী । ৰঙালী বিহুক আদৰিবলৈ ৰাজ্যজুৰি চলিছে ব্যাপক...
A controversial decision by 3rd umpire | Asia cup 2022 | SL vs Afghanistan
A controversial decision by 3rd umpire | Asia cup 2022 | SL vs Afghanistan
क्या पीरियड्स में हैवी या अनियमित ब्लीडिंग हो सकता है Endometriosis का संकेत, जानें क्या है एक्सपर्ट्स का कहना
एंडोमेट्रियोसिस की वजह से कई महिलाओं का जीवन प्रभावित होता है। इसके कई ऐसे लक्षण होते हैं जिनकी...
ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધરાસણા ખાતે ડીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ
SPOTNEWS_ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધરાસણા ખાતે ડીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ