સુરેન્દ્રનગરના ટાવર રોડ ઉપર શેઠ ખોડીદાસ રતિલાલની ફરસાણની દુકાન આવેલી છે અને આ દુકાન બે માળની છે. જેમાં ઉપરના માળે ફરસાણ બનાવવાની કામગીરી થાય છે. જ્યારે નીચે ફરસાણનો હોલસેલ અને રીટેલ વેપાર થાય છે. ત્યારે કોઇ અગમ્ય કારણોસર આ ફરસાણની દુકાનના ઉપરના માળે આગ લાગી હતી.આ આગના બનાવની જાણ થતાં સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકા ફાયર વિભાગની ટીમના દેવાંગભાઇ દુધરેજીયા સહિતનાઓ તાકીદે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ આગની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા પણ બનાવના સ્થળે એકઠા થયા હતા.સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આ ભયાવહ આગ શોર્ટ સર્કીટને લીધે લાગી હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે. જોકે, આ આગના બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ આ આગની ઘટનામાં હજારો રૂપિયાનું ફરસાણ બળીને ખાખ થઇ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉના તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા પોતાની 11 જેટલી માંગણીઓને લઈને પ્રાંત અધિકારી ઉનામાં પત્ર આપવામાં
ઉના તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા પોતાની 11 જેટલી માંગણીઓને લઈને પ્રાંત અધિકારી ઉનામાં પત્ર આપવામાં
talati exam || યુવરાજસિંહ જાડેજા || App || #newmarutidigital
talati exam || યુવરાજસિંહ જાડેજા || App || #newmarutidigital
নাজিৰা নগৰৰ অসম কোম্পানী নাজিৰা ল'ৰা প্ৰাথমিক বিদ্যালয়ৰ শতবাৰ্ষিকী উদযাপন
আজিৰ পৰা নাজিৰা মহকুমাৰ অসম কোম্পানী নাজিৰা ল'ৰা প্ৰাথমিক বিদ্যালয়ৰ শতবাৰ্ষিকী উদযাপনৰ শুভাৰম্ভণি...
ધોરાજીમાં ખાડારાસ કરીને કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ #shorts #short
ધોરાજીમાં ખાડારાસ કરીને કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ #shorts #short
108 ની સુવિધા દર્દીઓ માટે આશીર્વાદરૂપ....
મેડિકલ ઈમરજન્સીમાં ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ 108 ની સુવિધા દર્દી માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ...