સાયલા ચોટીલા હાઈવે પર ચોટીલા દર્શન કરવા જતા પરિવારને અકસ્માત નડયો હતો. અમદાવાદના મણિનગર ખાતે રહેતા પરિવારના ત્રણ સભ્યોને ઈજાઓ થતાં સાયલા હોસ્પિટલમાં ખસેડાયા હતા. અમદાવાદથી દેવ દર્શને બ્રહ્મભટ્ટ પરિવાર રવિવારના રોજ નીકળ્યો હતો. અમદાવાદના મણીનગર હીરાભાઈ ટાવર સામે રહેતો પરિવાર ગણપતપુરા- સારંગપુર થઈ ચોટીલા દર્શને જઈ રહ્યો હતો ત્યારે સાયલાથી ગોસળ પાસે ખાલસા હોટલની સામે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા વેગેનાર કાર 15 ફૂટ જેટલી ખાઈમાં પડી હતી.અકસ્માતની જાણ સ્થાનિક લોકોને થતા ખાઈમાંથી પરિવારને બહાર કાઢવામાં આવ્યા હતા. જે દરમિયાન પ્રાઇવેટ એમ્બ્યુલન્સ પસાર થતા તેને માનવતા બતાવી તમામ ઈજાગ્રસ્તોને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાજેશભાઈ નરેશચંદ્ર બ્રહ્મભટ્ટ ઉં.53, આશાબેન રાજેશભાઈ બ્રહ્મભટ્ટ ઉં. 48, ભૂમિબેન રાજેશભાઈ બ્રહ્મભટ્ટ ઉં. 25 ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. જ્યારે હર્ષ રાજેશભાઈ બ્રહ્મભટ્ટ તેમજ અવનીબેન રાજેશભાઈને કોઈ ઈજા થયેલ ન હતી. આ બાબતની સાયલા પોલીસને જાણ થતા દોડી આવી હતી તેમજ પરિવારનો સામાન ગાડીમાંથી સહી સલામત લઈ પરિવારને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મે મહિનામાં પણ ચોમાસા જેવો માહોલ રહેશે!વરસાદી માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી,,#ani#
મે મહિનામાં પણ ચોમાસા જેવો માહોલ રહેશે!વરસાદી માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી,,#ani#
ડીસા માં પ્રવીણભાઈ માળી ધારાસભ્ય બનતા ચાહકે 1100 પાઉભાજી વહેંચી || JKS NEWS
ડીસા માં પ્રવીણભાઈ માળી ધારાસભ્ય બનતા ચાહકે 1100 પાઉભાજી વહેંચી || JKS NEWS
নকল অসমীয়া গহনাৰ বিৰোধে ডুগডুগীৰ সংকল্প যাত্ৰা।ডুগডুগীয়ে ১৭জানুবাৰীত ৬গৰাকী শিল্পীক জনাব সম্বৰ্ধনা:-উৎপল বনিয়া।
১৫টাৰ অধিক ৰাষ্ট্ৰীয় আন্তঃৰাষ্ট্ৰীয় বঁটাৰে সন্মানিত ৰনথলি স্থিত অসমীয়া কেঁচা গহনাৰ জনপ্ৰিয়...
જસદણ તાલુકાના જસાપર મોટા દડવા માં વરસાદ અડધો કલાકમાં એક ઇંચ વરસાદ
જસદણ તાલુકાના જસાપર મોટા દડવા માં વરસાદ અડધો કલાકમાં એક ઇંચ વરસાદ
સંતરામપુર ખિલખિલાટ વાનની ઉતમ કામગીરી સામે આવી
સંતરામપુર ખિલખિલાટ વાનની ઉતમ કામગીરી સામે આવી