વઢવાણ :સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે વિશ્વ ઉમા ફાઉન્ડેશન, ઉમિયા મંદિર, આઈ.પી.એસ સ્કુલ, અલ્ટ્રા વિઝન સ્કુલ તથા શિવલાલ આણંદજીભાઈ માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાનું જોરાવરનગર પાણીની ટાંકી ખાતે થી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે રતનપર, ટાવર ચોક, મેઈન બજાર, માઈમંદિર રોડ, આંબેડકર ચોક થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. ડી.જે.ના તાલે અને દેશભકિતના ગીતો સાથે આ તિરંગા યાત્રા ફરી હતી અને આગામી તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી પ્રજાજનો અને સંસ્થા સહિત સરકારી કચેરીઓ પર તિરંગા લગાવવા આહવાન કર્યુ હતુ. આ તકે વઢવાણ ના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, શિવલાલ આણંદજીભાઈ ટ્રસ્ટના ચંદ્રેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, પાલિકાના ચૂંટાયેલા સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો, શહેરીજનો અને વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને સમગ્ર વાતાવરણ તિરંગા અને દેશભક્તિ થી તરબોળ થઈ જવા પામ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાવનગર : કણકોટ ગામે વીજચેકીંગ માટે ગયેલી ટીમ પર હુમલો ;વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
ભાવનગર : કણકોટ ગામે વીજચેકીંગ માટે ગયેલી ટીમ પર હુમલો ;વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
बिना आपको पता लगे अपना शिकार बना सकती है Social Anxiety, इन लक्षणों से करें इसकी पहचान
इन दिनों लोग कई तरह की शारीरिक और मानसिक समस्याओं का सामना कर रहे हैं। तेजी से बदलती लाइफस्टाइल...
AAJTAK 2 LIVE | 'Batenge Toh Katenge' पर जबरदस्त सियासी हंगामा जारी है ! | AT2
AAJTAK 2 LIVE | 'Batenge Toh Katenge' पर जबरदस्त सियासी हंगामा जारी है ! | AT2
આઈ.ટી.આઈ કોલેજ તળાજામાં એડમિશન પ્રક્રિયાનો પ્રારંભ આઈ.ટી.આઈ કરો એટલે નોકરીની ગેરંટી : આચાર્ય દવે
તળાજા શહેરમાં રોયલ ચોકડી નજીક આવેલી તાલુકાની એકમાત્ર સરકારી આઈ.ટી.આઈ કોલેજ ખાતે એડમિશન પ્રક્રિયા...
ভাৰতৰ প্ৰাক্তন ফুটবল অধিনায়ক মহম্মদ হাবিবৰ হায়দৰাবাদত ৭৪ বছৰ বয়সত মৃত্যু
১৫ আগষ্ট ভাৰতৰ প্ৰাক্তন অধিনায়ক তথা কিংবদন্তি ফুটবলাৰ মহম্মদ হাবিবৰ বাৰ্ধক্যজনিত ৰোগৰ বাবে...