વઢવાણ :સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે વિશ્વ ઉમા ફાઉન્ડેશન, ઉમિયા મંદિર, આઈ.પી.એસ સ્કુલ, અલ્ટ્રા વિઝન સ્કુલ તથા શિવલાલ આણંદજીભાઈ માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાનું જોરાવરનગર પાણીની ટાંકી ખાતે થી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે રતનપર, ટાવર ચોક, મેઈન બજાર, માઈમંદિર રોડ, આંબેડકર ચોક થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. ડી.જે.ના તાલે અને દેશભકિતના ગીતો સાથે આ તિરંગા યાત્રા ફરી હતી અને આગામી તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી પ્રજાજનો અને સંસ્થા સહિત સરકારી કચેરીઓ પર તિરંગા લગાવવા આહવાન કર્યુ હતુ. આ તકે વઢવાણ ના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, શિવલાલ આણંદજીભાઈ ટ્રસ્ટના ચંદ્રેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, પાલિકાના ચૂંટાયેલા સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો, શહેરીજનો અને વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને સમગ્ર વાતાવરણ તિરંગા અને દેશભક્તિ થી તરબોળ થઈ જવા પામ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gajanan Kale on Govinda Squad | मनसेची चिलखत योजना, मनसे एक हजार गोविंदांचा विमा कवच उतरवणार - tv9
Gajanan Kale on Govinda Squad | मनसेची चिलखत योजना, मनसे एक हजार गोविंदांचा विमा कवच उतरवणार - tv9
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામ નજીક રસ્તા વચ્ચે ઊભેલ વિજ પોલ ની સોશીયલ મિડીયા મા ભારે ચર્ચાઓ જામી.
ઘોઘંબાના પાલ્લા નજીક કરાડ ડેમ જતાં હનુમાનજી મંદિર પાસે રસ્તાની વચોવચ ઊભેલ વિજ પોલ અને ડિપી ની...
বিদ্যুৎ মাচুল বৃদ্ধি হোৱা লোকক কি কলে মুখ্যমন্ত্ৰীয়ে!
বিদ্যুৎ মাচুল বৃদ্ধি হোৱা লোকক কি কলে মুখ্যমন্ত্ৰীয়ে!