વઢવાણ :સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે વિશ્વ ઉમા ફાઉન્ડેશન, ઉમિયા મંદિર, આઈ.પી.એસ સ્કુલ, અલ્ટ્રા વિઝન સ્કુલ તથા શિવલાલ આણંદજીભાઈ માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાનું જોરાવરનગર પાણીની ટાંકી ખાતે થી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે રતનપર, ટાવર ચોક, મેઈન બજાર, માઈમંદિર રોડ, આંબેડકર ચોક થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. ડી.જે.ના તાલે અને દેશભકિતના ગીતો સાથે આ તિરંગા યાત્રા ફરી હતી અને આગામી તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી પ્રજાજનો અને સંસ્થા સહિત સરકારી કચેરીઓ પર તિરંગા લગાવવા આહવાન કર્યુ હતુ. આ તકે વઢવાણ ના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, શિવલાલ આણંદજીભાઈ ટ્રસ્ટના ચંદ્રેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, પાલિકાના ચૂંટાયેલા સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો, શહેરીજનો અને વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને સમગ્ર વાતાવરણ તિરંગા અને દેશભક્તિ થી તરબોળ થઈ જવા પામ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહોલ્લા મુલાકાતે પહોંચ્યા
જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા
આજ રોજ દેવગઢબારિયા પોલીસ સ્ટેશન ના વાર્ષિક નિરીક્ષણ ના ભાગ રૂપે ( રાજ કાપડિયા 9879106469...
अकलूज येथे बनावट देशी दारू कारखान्यावर धाड
अकलूज येथे बनावट देशी दारू कारखान्यावर धाड
MCN NEWS| बोर दहेगाव महामार्ग दुरूस्तीचे काम निकृष्ट दर्जाचे मनसेचा आरोप
MCN NEWS| बोर दहेगाव महामार्ग दुरूस्तीचे काम निकृष्ट दर्जाचे मनसेचा आरोप
National Party Status: कैसे मिलता है एक पार्टी को राष्ट्रीय दल का दर्जा, पढ़ें सुविधाओं से लेकर जरुरी शर्तें
नई दिल्ली, भारत में बहुदलीय व्यवस्था है। भारत का चुनाव आयोग (ECI) वस्तुनिष्ठ मानदंडों के...