જળ સંપત્તિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ડાકવડલા ખાતે આવેલા ત્રિવેણી ડેમ ઠાંગાની મુલાકાત લીધી હતી. હાલમાં મંત્રીના માર્ગદર્શન હેઠળ ચોટીલા તાલુકામાં સિંચાઈ વિભાગ દ્વારા જળસંપત્તિના સંવર્ધન અને સંરક્ષણ માટે ડેમ અને સરોવરો ઉંડા ઉતારવાની કામગીરી ચાલી રહી છે.મુલાકાત દરમિયાન મંત્રીએ સૌની યોજના કાર્યપાલક ઇજનેર પાસેથી સૌની યોજનાના લાભાન્વિત ગામો વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. ઉપરાંત છેવાડાના ગામોને મચ્છુ -1 દ્વારા પાણી મળે રહે તે માટે નવી પાઇપ લાઇનની ત્વરિત વ્યવસ્થાઓ કરવા સૂચનો કર્યા હતા.મંત્રીએ ત્રિવેણી ઠાંગા ડેમની કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતુ. આ ડેમ દ્વારા આસપાસના ગામડાઓમાં લોકોને પીવાનું પાણી તેમજ સિંચાઇ માટે પાણી મળી રહે તે માટે સિંચાઇ વિભાગના અધિકારીઓ અને ઈજનેરો, સૌની યોજનાના અધિકારીઓ સહિત સંલગ્ન અધિકારીઓ સાથે પરામર્શ કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતુ.વધુમાં મંત્રીએ ડાકવડલા ગામની આજુબાજુના ગામડાઓને પણ પાણી મળે રહે તે માટે ત્રિવેણી ઠાંગા ડેમમાં પાણીનો વધારો કરવો, કેનાલો, તળાવોની સફાઈ કરાવવી, રીનોવેશન કામગીરી, ચેકડેમ બની શકે તેમ હોઈ તે વિસ્તારોનો સર્વે કરી ચેકડેમ બનાવવા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ તકે ચોટીલા પ્રાંત અધિકારી પ્રિયાંક ગળચર, મામલતદાર નિકુંજ ધૂળા, સિંચાઈ વિભાગ, સૌની યોજના વિભાગના તથા સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गोलाघाट अखिल असम भोजपुरी परिषद की जिला कार्यकारिणी सम्पन्न
संगठन को तृणमूल स्तर तक सशक्त बनाने के लिए प्रत्येक भोजपुरी भाषी को जोड़ना होगा परिषद से : कैलाश कुमार गुप्ता
गोलाघाट अखिल असम भोजपुरी परिषद की जिला कार्यकारिणी सम्पन्न
संगठन को तृणमूल स्तर तक सशक्त बनाने...
Chandrayaan-3 Satellite is seperated and Ejected successfully on elliptical parking orbit.
Chandrayaan-3 Satellite is seperated and Ejected successfully on elliptical parking orbit.
માળીયા હાટીના તાલુકા માં ચેલા ત્રીસેક વર્ષથી બિસમાર હાલત માં રહેલા રોડ નું કરવામાં આવ્યું ખાતર્મુહુત
વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ના ભાખરવડ થી કૃષ્ણનગર ને જોડતો રસ્તો...
થરાદના ખેગારપુરામાં મજૂરો પર રેતી ભરેલી ટ્રક પડતાં ત્રણ મહીલા અને એક બાળકનું મોત
થરાદ તાલુકાના ખેગારપુરા ગામમાં રોડની બાજુમાં નાળાની પ્રોટેક્શન વોલના પાયાની કામગીરી દરમિયાન કામ...
ધ્રોલ ગુજરાત કોંગ્રેસ માલધારી સેલ અને માલધારી સેલના પ્રમુખ અમિતભાઇ લાવતુકા દ્વારા માલધારી ન્યાય
ધો્લ
જામનગરથી ગાંધીનગર આંદોલન કરવા જઈ રહેલા એકસ આર્મી મેનોની કરાય અટકાયત
...