સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જરવલા ગામના 57 વર્ષના કંચનબેન લક્ષ્મણભાઇ પટેલનું રોડ અકસ્માતમાં મગજને ગંભીર ઇજાઓ થતાં બ્રેઇન હેમરેજ થયું હતુ. છેવટે તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કરતા પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં અંગદાન માટે તેમના મૃતદેહને લાવવામાં આવ્યો ત્યારે હોસ્પિટલમાં લાગણીસભર દ્રશ્ય ખડુ થયું હતુ.ત્યારે હોસ્પીટલના ફ્લોર પર જાણ્યા અજાણ્યા સહુએ છેલ્લી પ્રાર્થના કરી હતી. કંચનબેનની કિડની, આંખ, લિવર, ફેફસા સહિતના પાંચ અંગોનું દાન કરવામાં આવતા પાંચ લોકોને નવું જીવન પ્રાપ્ત થશે. ત્યારે દેશ અને દુનિયામાં અંગદાન બાબતે ખુબ જાગૃતિ લાવવાની જરુર છે. હાલમાં લિવર અને કિડનીની ગંભીર બીમારીથી પીડાતા લાખો લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં છે. અને જન્મ થયો ત્યારથી અંધાપાનો ભોગ બનેલા લોકો સાતરંગોની દુનિયા નહી જોઇ શકવાની લાચારી ભોગવી રહ્યાં છે. ત્યારે રણકાંઠાના છેવાડાના એક નાનકડા ગામના સ્વ.કંચનબેન અને અંગદાનનો નિર્ણય કરનારા સગા સંબંધીઓએ અનોખી મિશાલ રજૂ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিশ্বামিত্রৰ দুদান্ত অভিনয়ে মুহিলে দৰ্শকৰ মন
বিশ্বামিত্রৰ দুদান্ত অভিনয়ে মুহিলে দৰ্শকৰ মন
ગુજરાત ઇલેક્શન 2022: AAPએ વધુ 21 ઉમેદવારોની યાદી જાહેર કરી
ગુજરાત ઇલેક્શન 2022: AAPએ વધુ 21 ઉમેદવારોની યાદી જાહેર કરી
સિહોર શહેરમાં મોહરમ ની ઉજવણી કરવામાં આવી હતી
ઇસ્લામ ધર્મના મહાન અંતિમ પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના દૌહિત્ર હઝરત ઇમામ હુસૈન એ પોતાના ૭રસાથીદારો...
विपक्ष पर PM Modi का करारा वार, कहा- 370 के नाम पर कुछ राजनीतिक परिवार फायदा उठा रहे थे | Aaj Tak
विपक्ष पर PM Modi का करारा वार, कहा- 370 के नाम पर कुछ राजनीतिक परिवार फायदा उठा रहे थे | Aaj Tak
Mumbai Storm: आंधी-तूफान के साथ बारिश बनी आफत, 8 लोगों की मौत, NDRF की तैनाती | Aaj Tak
Mumbai Storm: आंधी-तूफान के साथ बारिश बनी आफत, 8 लोगों की मौत, NDRF की तैनाती | Aaj Tak