નુકસાનીનો સર્વે શરૂ: બનાસકાંઠા જિલ્લામાં બીપરજોય વાવાઝોડાને પગલે બાગાયતી પાકોમાં થયેલા નુકસાનીનો સર્વે હાથ ધરાયો...
Sponsored
બનાસકાંઠા જિલ્લામાં બિપરજોય વાવાજોડાના કારણે બાગાયતી પાકો જેવા કે દાડમ, આંબા અને જામફળ જેવા બહુવર્ષાયું ફળપાકો અસરગ્રસ્ત થયા છે. જેને પગલે બાગાયત ખેડૂતોને તાત્કાલિક વળતર સહાય મળે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલના માર્ગદર્શન અને સૂચના હેઠળ જિલ્લામાં જુદી જુદી બાગાયત અધિકારીઓની સર્વે ટીમો દ્વારા નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.