લખતરના ભરવાડ નેસમાં છેલ્લા ઘણા મહિનાઓથી ખુલ્લી રહેલી ગટરમાં ગાય પડી હતી. તે ગાયને ગટરમાંથી કાઢવા આસપાસના રહીશો તેમજ જીવદયાપ્રેમીઓએ જહેમત ઉઠાવી હતી. સ્થાનિક તંત્રને આ ગટર ઢાંકવા માટેની રજૂઆત પણ કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આગામી સમયમાં મોટા અકસ્માતનો ભય રહેલો છે.લખતર શહેરનાં ખાળીયા વિસ્તારમાં લાખોના ખર્ચે ગટર ઊંડી કરીને બનાવવામાં આવી છે. પરંતુ આ ગટર ઊંડી જોવા છતાં તેના ઢાંકવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ અંગે સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે આ ગટરમાં એક ગાય ફસાઈ ગઈ હતી.આ ગાયને વિસ્તારનાં રહીશો, જીવદયા પ્રેમીઓ અને માલધારીઓ દ્વારા મહામહેનતે સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. પરંતુ ગાયને ઘસાવાનાં લીધે નાની મોટી ઈજાઓ થઈ હતી. તો આ રસ્તે થઈને જ વિદ્યાર્થીઓ શાળાએ તેમજ શાળાએથી ઘરે પાછા કરતા હોવાનાં કારણે વાલીઓને પણ ચિંતા રહ્યાં કરે છે. તો આ અંગે તાત્કાલિક યોગ્ય કરવામાં આવે તેવી લોકમાંગ છે. તો કોઈ અધિકારીઓ થોડું ધ્યાન આપી સ્થાનિક તંત્રને કડક આદેશ કરી યોગ્ય કાર્યવાહી કરાવે તેવી લોકોને આશા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাজুলীৰ এখন বিদ্যালয়ত কৃষ্ণ-ৰাধা : চলিছে মহাৰাস : কোন বিদ্যালয়ৰ এই পৰিৱেশ?
মাজুলীৰ এখন বিদ্যালয় ত কৃষ্ণ-ৰাধা : চলিছে মহাৰাস : কসংৰ অত্যহাস্য : কোন বিদ্যালয় ৰ এই...
यवतमाळ शहरात नियमित पाणीपुरवठा करा : काँग्रेस कमिटीची जिल्हाधिकार्यांकडे मागणी
यवतमाळ : यंदा चांगला पाऊस झाला असून, प्रकल्प भरले आहे. तरीदेखील शहरात नियमित पाणीपुरवठा केला जात...
દુઃખદ- અમદાવાદ બિલ્ડીંગની લિફ્ટનો સ્લેબ તુટતા સાત (૭) શ્રમિકો પૈકી દાહોદ જિલ્લાના બે યુવાનોનું મોત.
અમદાવાદમાં બિલ્ડિંગની લિફ્ટનો સ્લેબ તુટતાં આઠ શ્રમિકોમાંથી સાતના મોત થયા હતાં . મોતને ભેટેલા...
দৰঙৰ খাৰুপেটীয়াত স্বচ্ছতাৰ বাবে "এক দিন এঘন্টা এক সাথ" শ্ৰমদান কাৰ্যসূচী ৰূপায়ন
দেশৰ প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীৰ আহ্বান মৰ্মে স্বচ্ছতাৰ দিশত আৰু এখোজৰ বাবে "এক দিন এঘন্টা এক...