બનાસકાંઠા જિલ્લાની આ વખતની તમામ નવે નવ વિધાનસભા સીટોની ચર્ચા કરીએ તો પાલનપુરમાં છેલ્લાં બે ટર્મ થી કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાઈ આવે છે, પરંતુ તેઓએ પોતાના સળંગ દસ વર્ષોનાં કાર્યકાળમાં પણ જોઈએ તેવું કોઈ જ નોંધપાત્ર કામ કર્યું નથી,પાલનપુર શહેરમાં એરોમાં ટ્રાફિકનો જટિલ પ્રશ્ન હોય , રહેણાંક વિસ્તારમાંથી ડમપિંગ સાઇટ હટાવવાનો મુદ્દો કે પછી કોટ વિસ્તારમાં રસ્તા, પાણી, સફાઈ જેવા પ્રાણ પ્રશ્નો ઉકેલવાનો મુદ્દો હોય આ બધા મુદ્દે યોગ્ય સ્તરે નક્કર રજૂઆતો કરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં તેઓ સફળ રહ્યા નથી.બીજી તરફ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ સામે ક્રોસ વોટિંગ કરવાના આરોપો પણ લાગી ચૂક્યાં છે, જોકે તેઓએ ઘણા સમયથી કોંગ્રેસના કાર્યક્રમોથી અળગા રહયાં બાદ હવે તેઓ ફરીથી કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે.જોકે કોંગ્રેસ તેમને ફરીથી રિપીટ કરશે કે પછી અન્ય કોઈ નેતાને ટીકીટ આપશે તે બાબત અંગે રાજકીય જાણકારોમાં પણ મતમતાંતર છે. કોંગ્રેસમાંથી ઇતર સમાજમાંથી પણ કેટલાંક દાવેદારોનાં નામ ચર્ચામાં છે. જોકે બીજી તરફ ભાજપ અત્યાર સુધી ઇતર સમાજને જ ઉમેદવાર બનાવતી આવે છે, પરંતુ પાટીદારો અને ઠાકોરનું વૉટબેન્ક ધરાવતી આ સીટ પર ભાજપમાં પાટીદારોએ મોટી સંખ્યામાં દાવેદારી નોંધાવી છે, ભાજપમાંથી ૮૮ લોકોએ ટીકીટ માંગી છે, પરંતુ ભાજપ હાઇકમાન્ડ પાલનપુર સીટ પરથી કોઈ પાટીદારને ઉતારશે કે ઇતર સમાજના આગેવાનને, તે ચિત્ર તો કોંગ્રેસનો ઉમેદવાર જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ ગઢ પંથક અને શહેરી મતદાતાઓ પાલનપુર સીટ પર નિર્ણાયક ભૂમિકા ભજવશે તેમાં શંકાને સ્થાન નથી. આ સીટ પરથી આમ આદમી પાર્ટીએ વકીલ રમેશ નાભાણીને ટીકીટ આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'जो लोग गए हैं…' Akhilesh Yadav ने Rajya Sabha Election Cross Voting पर SP MLA से क्या कहा?
'जो लोग गए हैं…' Akhilesh Yadav ने Rajya Sabha Election Cross Voting पर SP MLA से क्या कहा?
पशुधन ही आपली संपत्ती; 'लम्पी' आजाराबाबत मुख्यमंत्र्यांनी दिले निर्देश
पशुधन ही आपली संपत्ती; 'लम्पी' आजाराबाबत मुख्यमंत्र्यांनी दिले निर्देश
ગીરીબાપુ દ્વારા ફતેપુરા માં શિવ કથા....
દાહોદ જિલ્લાના ફતેપુરા માં ગુજરાતના પ્રખ્યાત કથાકાર ગિરીબાપુ દ્વારા શિવ કથા નું આયોજન કરવામાં...
વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે ઉધના ખાતે કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો
તારીખ ૨૧ ઓગસ્ટ-વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે ઉમિયા માતા ઉદ્યાન, ઉધના ખાતે જિલ્લા કાનૂની...
संस्कार कॉलनीतील घरफोडी प्रकरणी शिवाजीनगर पोलीस ठाण्यात गुन्हा दाखल@india report
संस्कार कॉलनीतील घरफोडी प्रकरणी शिवाजीनगर पोलीस ठाण्यात गुन्हा दाखल@india report