સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બલદાણા ગામે તસ્કરો દ્વારા બે મકાનના તાળા તોડી રોકડ રકમ અંદાજે 9,000 અને સોનાના દાગીના અંદાજે 67 તોલા સહિતનો મુદ્દામાલ ચોરી કરી નાશી છૂટ્યા હતા. જેમાં વઢવાણ તાલુકાના બલદાણા ગામે બે રહેણાક મકાનમાં તસ્કરો દ્વારા ચોરીનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. આ ચકચારી ઘટના અંગે એલસીબી, એસઓજી અને વઢવાણ પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બલદાણા ગામે બે રહેણાક મકાનમાં તસ્કરો દ્વારા ચોરીનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. જેમાં બન્ને મકાનના માલિકો મકાનને તાળું મારી રાત્રે અગાસીમાં સૂતા હતા, તે દરમિયાન તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં વઢવાણ પોલીસ સહિત સુરેન્દ્રનગર એલસીબી અને એસઓજી સહિતની પોલીસ ટીમે તાકીદે ઘટનાસ્થળે પહોંચી ફરિયાદની તજવીજ હાથ ધરી છે.