રાજકોટમાં અશોક ગાર્ડન પાસે રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.    અંદાજિત 70 લાખનુ ફર્નિચર આગમા ભસ્મ થઈ ગયું હતુ. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. જો આગ વધુ વિકરાળ બને તો નુકસાનીનો આંક વધી શકે છે. હાલ ફાયર વિભાગની 8 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે,