જેસડા ગામેથી બે દિવસ પહેલા ગુમ થયેલા યુવાનની લાશ હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આજે વહેલી સવારે મળી આવી હતી. જેને પગલે ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે રહેતા અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલા ( ઉંમર વર્ષ- 45 ) ગત તારીખ 17ના રોજ બપોરના ત્રણેક વાગ્યે ગુમ થયા હોવાની ધ્રાંગધ્રા પોલીસ મથકે જાણવા જોગ અરજી કરવામાં આવી હતી.સાથે જ પરિવારજનો દ્વારા અનિરુદ્ધસિંહની શોધખોળ પણ કરવામાં આવી રહી હતી. તેવામાં આજે વહેલી સવારે હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં કોઈ યુવાનની લાશ મળી આવી હોવાનું સ્થાનિક લોકોના ધ્યાન આવતા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.હળવદ પોલીસની પ્રાથમિક તપાસમાં મળી આવેલો મૃતદેહ ધ્રાંગધ્રાના જેસડા ગામના અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલાની હોવાનું સામે આવતા પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. અને મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા પીએમ કરવાની કાર્યવાહી કર્યા બાદ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NCP Protest in Beed : वाढत्या महागाई विरोधात बीड चौकात राष्ट्रवादीची बॅनरबाजी
NCP Protest in Beed : वाढत्या महागाई विरोधात बीड चौकात राष्ट्रवादीची बॅनरबाजी
રાધનપુર : યુવા મોરચા દ્વારા મેરાથોન દોડનું આયોજન | SatyaNirbhay News Channel
રાધનપુર : યુવા મોરચા દ્વારા મેરાથોન દોડનું આયોજન | SatyaNirbhay News Channel
समाजवादी पार्टीं को छोड़कर उपमुख्यमंत्री पंडित ब्रजेश पाठक ने दिलाई बीजेपी की सदस्यता
जनपद आजमगढ़ में,समाजवादी पार्टीं को छोड़कर उप-मुख्यमंत्री पंडित ब्रजेश पाठक ने दिलाई बीजेपी की...
અંબિકા માતાજી મંદિરે માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો
ખેડબ્રહ્મા પોષી પૂનમ અંબિકા માતાજી મંદિરે માતાજીનું પ્રાગટ્ય દિવસ ઉજવાયો વહેલી સવારથી જ...
মৰাণ পৌৰসভাৰ ৬ নং ৱাৰ্ডত ২১ টা সৌৰচালিত ষ্ট্ৰীট লাইটৰ আধাৰশিলা উদ্বোধন মন্ত্ৰী যোগেন মহনৰ
মৰাণ পৌৰসভাৰ ৬ নং ৱাৰ্ডত ২১ টা সৌৰচালিত ষ্ট্ৰীট লাইটৰ আধাৰশিলা উদ্বোধন মন্ত্ৰী যোগেন মহনৰ