જેસડા ગામેથી બે દિવસ પહેલા ગુમ થયેલા યુવાનની લાશ હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આજે વહેલી સવારે મળી આવી હતી. જેને પગલે ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે રહેતા અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલા ( ઉંમર વર્ષ- 45 ) ગત તારીખ 17ના રોજ બપોરના ત્રણેક વાગ્યે ગુમ થયા હોવાની ધ્રાંગધ્રા પોલીસ મથકે જાણવા જોગ અરજી કરવામાં આવી હતી.સાથે જ પરિવારજનો દ્વારા અનિરુદ્ધસિંહની શોધખોળ પણ કરવામાં આવી રહી હતી. તેવામાં આજે વહેલી સવારે હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં કોઈ યુવાનની લાશ મળી આવી હોવાનું સ્થાનિક લોકોના ધ્યાન આવતા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.હળવદ પોલીસની પ્રાથમિક તપાસમાં મળી આવેલો મૃતદેહ ધ્રાંગધ્રાના જેસડા ગામના અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલાની હોવાનું સામે આવતા પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. અને મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા પીએમ કરવાની કાર્યવાહી કર્યા બાદ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શામળાજી:TP સ્કીમને લઈ અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ સાથે કલેકટર ને આવેદનપત્ર આપવામા
શામળાજી:TP સ્કીમને લઈ અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ સાથે કલેકટર ને આવેદનપત્ર આપવામા
ગુજરાત સરકાર દ્વારા જાફરાબાદ નગરપાલિકાને 29,50,000 ની ફાયર બ્રિગેડ ભેટ આપવામાં આવી
ગુજરાત સરકાર દ્વારા જાફરાબાદ નગરપાલિકાને 29,50,000 ની ફાયર બ્રિગેડ ભેટ આપવામાં આવી
गोरखपुर में हाथी ने कइयों को रौंदा, 3 की मौत:कलश यात्रा में शामिल होने के लिए बुलाया गया था, भीड़ को देखकर बेकाबू हो गया
उत्तर प्रदेश के गोरखपुर में गुरुवार को एक हाथी कलश यात्रा निकलने से पहले भड़क गया। उसने कई लोगों...
रेकी करुन दरोडा टाकणाऱ्या बंटी, बबलीचे भयानक कृत्य...
पुणे: पुणे पोलीसांनी एक मोठी कारवाई केली आहे. पुणे पोलिसांनी पेशाने व्यवसायीक आणि वकील करोडपती...