સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ આવેલી બંસીધર સોસાયટીમાં રહેતો અને મંડપ સર્વિસનો વ્યવસાય કરતો યુવાન રવિવારે રાત્રે પોતાના ઘરેથી મંડપ નાખવા જવાનું કહીને નીકળ્યો હતો. પરંતુ તે રાત્રે દોઢ વાગ્યે સળગેલી હાલતમાં હોસ્પિટલમાંથી મળી આવતા ચક, ચાર મચી જવા પામી છેબંસીધર સોસાયટીમાં રહેતા ધીરૂભાઇ લક્ષ્મણભાઇ પરાલીયા મંડપ સર્વિસનો ધંધો કરે છે. ધીરૂભાઇ શરીરના ભાગે ગંભીર રીતે દાજી ગયાની કોઇએ જાણ કરતા 108ની ટીમ તેમને તાત્કાલીક સારવાર માટે લઇ આવી હતી. બનાવની જાણ થતા સિટી પોલીસની ટીમ પણ હોસ્પિટલ પહોચી હતી. આ બાબતે ધીરૂભાઇના પિતા લક્ષ્મણભાઇએ કહ્યું કે દીકરાનું કોઇ અજાણ્યા શખસો અપહરણ કરીને લઇ ગયા હતા તેવું તેણે જણાવ્યું હતું. આથી આ યુવાનનું અપહરણ કોણે અને શા માટે કર્યુ તે અંગે રહસ્ય ઘેરાયું છે.યુવાનની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવા માટે અમદાવાદ લઇ જવામાં આવ્યો છે.આ ઘટના અંગે સિટી પીઆઇ આર.એમ.સરોડેએ જણાવ્યું કે યુવાનના નિવેદનો અલગ અલગ આવે છે. ઇન્વેની ટીમને અમદાવાદ નિવેદન લેવા માટે મોકલ્યા છે. ચોક્કસ નિવેદન મળે પછી ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરીશું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાણંદના પ્રાંત અધિકારીએ પાંચમાં માળેથી કૂદી આપઘાત કરતા મચી ચકચાર.
આપઘાતનું ઘેરાતું રહસ્ય.
ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે જેમાં સમગ્ર રાજ્યના લાગતા વળગતા...