લખતર શહેરમાં એલસીબી પોલીસની ઓળખ આપી રોફ જમાવતા શખ્સની લખતર પોલીસે ધરપકડ કરી હતી. શહેરનાં યુવાનને કોલ કરી રોફ જમાવતા યુવાને સતર્કતાથી પોલીસ સ્ટેશને લઇ જતા ભાંડો ફૂટ્યો હતો. પોલીસની ઓળખ આપી કે વેશ ધારણ કરી લોકોને પરેશાન કરતા ઘણા કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે આવો કિસ્સો લખતર ખાતે પણ સામે આવ્યો છે.મળતી માહિતી અનુસાર, લખતરનાં પ્રકાશભાઈ ગોરધનભાઈ સોલંકીએ લખતર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓનાં ઘરે તા.14-6-23ના રોજ રાત્રે તેમના ઘરે સુરેન્દ્રનગર એલસીબીમાં યુવરાજસિંહ જાડેજા હોવાનું જણાવી તમારું નામ કોલ ડિટેઇલમાં આવ્યાનું જણાવી હું કહું ત્યારે સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશન આવું પડશે તેવું જણાવ્યું હતું.ત્યારે બીજા દિવસે તેઓ ફરી આવતા યુવકે પહેલા પોતે તેવું કઈ કર્યું ન હોઈ પહેલા લખતર પોલીસ સ્ટેશને જવાનું કહી તે શખ્સને લખતર પોલીસ સ્ટેશને લઇ જતા લખતર પોલીસે તપાસ કરતા આ શખ્સ કોઈ પોલીસ કર્મી ન હોવાનું ખુલ્યું હતું. તેમજ આ શખ્સ ચુડા તાલુકાનાં નવી મોરવાડ ગામનો નરેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.જયારે આ શખ્સ ઉપર અગાઉ નડિયાદ પોલીસ સ્ટેશન તેમજ રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસ તરીકે ઓળખ આપી રોફ જમાવવા અંગેનો ગુનો નોંધાયેલો હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BIS Bangalore Hosts "Manak Samvad" for Orientation of New Licensees
September 11, 2024
BIS Bangalore Hosts "Manak Samvad" for Orientation of New Licensees...
মহাৰজত জয়ন্তীত "অসমৰ বিজ্ঞান গৱেষণাৰ ক্ৰমবিকাশ আৰু গুৱাহাটী বিশ্ববিদ্যালয়" শীৰ্ষক বক্তৃতানুষ্ঠান
আজিৰ খবৰ, গুৱাহাটী , ৩১ জুলাই, ২০২২ : গুৱাহাটী বিশ্ববিদ্যালয়ৰ মহাৰজত জয়ন্তী উপলক্ষে...
हिंदू मुस्लिम एकता का जीता जागता उदाहरण नूँह का ये गाँव, 1947 में भी नहीं हुआ था दंगा | Arfa Khanum
हिंदू मुस्लिम एकता का जीता जागता उदाहरण नूँह का ये गाँव, 1947 में भी नहीं हुआ था दंगा | Arfa Khanum
પંચમહાલઃ કેદીઓને જેલ મુક્ત કરવાના નિર્ણય સામે આવેદનપત્ર || News11 Gujarati
પંચમહાલઃ કેદીઓને જેલ મુક્ત કરવાના નિર્ણય સામે આવેદનપત્ર || News11 Gujarati