લખતર શહેરમાં એલસીબી પોલીસની ઓળખ આપી રોફ જમાવતા શખ્સની લખતર પોલીસે ધરપકડ કરી હતી. શહેરનાં યુવાનને કોલ કરી રોફ જમાવતા યુવાને સતર્કતાથી પોલીસ સ્ટેશને લઇ જતા ભાંડો ફૂટ્યો હતો. પોલીસની ઓળખ આપી કે વેશ ધારણ કરી લોકોને પરેશાન કરતા ઘણા કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે આવો કિસ્સો લખતર ખાતે પણ સામે આવ્યો છે.મળતી માહિતી અનુસાર, લખતરનાં પ્રકાશભાઈ ગોરધનભાઈ સોલંકીએ લખતર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓનાં ઘરે તા.14-6-23ના રોજ રાત્રે તેમના ઘરે સુરેન્દ્રનગર એલસીબીમાં યુવરાજસિંહ જાડેજા હોવાનું જણાવી તમારું નામ કોલ ડિટેઇલમાં આવ્યાનું જણાવી હું કહું ત્યારે સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશન આવું પડશે તેવું જણાવ્યું હતું.ત્યારે બીજા દિવસે તેઓ ફરી આવતા યુવકે પહેલા પોતે તેવું કઈ કર્યું ન હોઈ પહેલા લખતર પોલીસ સ્ટેશને જવાનું કહી તે શખ્સને લખતર પોલીસ સ્ટેશને લઇ જતા લખતર પોલીસે તપાસ કરતા આ શખ્સ કોઈ પોલીસ કર્મી ન હોવાનું ખુલ્યું હતું. તેમજ આ શખ્સ ચુડા તાલુકાનાં નવી મોરવાડ ગામનો નરેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.જયારે આ શખ્સ ઉપર અગાઉ નડિયાદ પોલીસ સ્ટેશન તેમજ રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસ તરીકે ઓળખ આપી રોફ જમાવવા અંગેનો ગુનો નોંધાયેલો હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નગરપાલિકા દ્વારા 100 ફેલ્ટ અને 22 દુકાનો ધરાવતી ઇમારત બાંધકામ નિયમ વિરુદ્ધ કાર્યવાહી સામે સીલકરી
નગરપાલિકા દ્વારા 100 ફેલ્ટ અને 22 દુકાનો ધરાવતી ઇમારત બાંધકામ નિયમ વિરુદ્ધ કાર્યવાહી સામે સીલકરી
*रेशनिंग तांदुळ छुप्या पद्धतीने विकणाऱ्यांवर कारवाईची मागणी*
..............
लोकजनशक्ती पार्टीचे जिल्हाधिकाऱ्यांना निवेदन
पुणे :
सार्वजनिक वितरण प्रणालीद्वारे रेशनिंगचा तांदुळ छुप्या पध्दतीने बेकायदेशीररित्या खुल्या बाजारात विक्री करण
*रेशनिंग तांदुळ छुप्या पद्धतीने विकणाऱ्यांवर कारवाईची मागणी
............
लोकजनशक्ती...
ચંદ્રગ્રહણ ને લઇ સાંજે ૫ વાગ્યા બાદ અંબાજી મંદિર રહેશે સંપૂર્ણ બંધ રહેશે | Chandra Grahan 2025
ચંદ્રગ્રહણ ને લઇ સાંજે ૫ વાગ્યા બાદ અંબાજી મંદિર રહેશે સંપૂર્ણ બંધ રહેશે | Chandra Grahan 2025