અમદાવાદ ખાતે એસઆરપી બંદોબસ્તમાં તહેનાત લીંબડી તાલુકાના સૌકા ગામના ક્ષત્રિય યુવકનું અકસ્માતને કારણે મૃત્યુ થયું હતું. માદરે વતન ખાતે એસઆરપી ગૃપ દ્વારા સદ્દગત યુવાનને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય અપાઈ હતી. લીંબડીના સૌકા ગામના રવિરાજસિંહ ભવાનસિંહ રાણા એસઆરપી ગૃપ-16માં ફરજ બજાવતા હતા. રથયાત્રાને ધ્યાનમાં રાખીને તેમને અમદાવાદ ખાતે બંદોબસ્તની કામગીરી સોંપવામાં આવી હતી. ત્રણેક દિવસ પહેલાં અમદાવાદના વટવા વિસ્તારમાં રવિરાજસિંહનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. અમદાવાદની હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલુ હતી. સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. રવિરાજસિંહના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારના સભ્યો, ગ્રામજનોની સાથે એસઆરપી ગૃપમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. શુક્રવારે સૌકા ગામે તેમની અંતિમ વિધી કરવામાં આવી હતી. જેમાં એસઆરપી ગૃપના જવાનોએ રવિરાજસિંહ રાણાને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપી હતી. એસઆરપી જવાનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આપણા વૈજ્ઞાનિકોએ લમ્પી સ્કીન ડિસિઝ સ્વદેશી વેકિસન પણ તૈયારી કરી લીધી છે :મોદી
આપણા વૈજ્ઞાનિકોએ લમ્પી સ્કીન ડિસિઝ સ્વદેશી વેકિસન પણ તૈયારી કરી લીધી છે :મોદી
SBI-ICICI-HDFC-PNB ग्राहकों के लिए RBI गवर्नर का ऐलान, सुनकर खुशी से उछल पड़े खाताधारक
RBI Governor: शक्तिकांत दास ने कहा कि देश की वित्तीय प्रणाली को लेकर सकारात्मक बयान...
ঢকুৱাখনাত উপস্থিত উপায়ুক্ত || তাকাৰচুকত খহনীয়া পৰিদৰ্শন
ঢকুৱাখনাত উপস্থিত উপায়ুক্ত || তাকাৰচুকত খহনীয়া পৰিদৰ্শন
ભુજ સાબરમતી ટ્રેનને કાલુપુર સુધી લંબાવવા હળવદ ના નયન દેત્રોજાની માંગ
ભુજ સાબરમતી ટ્રેન જેનો સ્ટોપેજ સાબરમતી સુધી છે જેના કારણે હળવદ સહિત દરેક મુસાફરોને તેના સગા...