"બિપરજોય" વાવાઝોડાની સંભવિત અસરો સામેની પૂર્વ તૈયારી અને લોકોની સુરક્ષા-સલામતી માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. રાજસ્થાન તરફથી આવતી રેલ નદી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, થરાદ અને વાવ તાલુકામાંથી પસાર થાય છે. જેના વહેણ વિસ્તાર નજીકના થરાદ તાલુકાના પાવડાસણ, લોઢનોર અને દુધવા ગામની આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ અને પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ સંયુક્ત મુલાકાત લઇ ગ્રામજનો સાથે સાવચેતીના પગલાંઓ અંગે ચર્ચા કરી હતી તથા વાવાઝોડામાં સાવચેતીના ભાગરૂપે લોકોને શિફ્ટ થવા અથવા તો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ શેલ્ટર હોમમાં શિફ્ટ થવાની સુચના આપી હતી અને પશુઓને ઊંચાણવાળી સલામત જગ્યાએ રાખવા પણ જણાવ્યું હતું ત્યારબાદ કલેક્ટરએ અધિકારીઓ સાથે સૂઇગામ તાલુકાના સરહદી બોરૂ અને મસાલી ગામની મુલાકાત લઇ મીઠાના અગરીયાઓ અને ગામલોકો સાથે વાવાઝોડાની ગંભીરતા વિશે વાતચીત કરી સલામત સ્થળે આશ્રય લેવા અથવા સરકાર દ્વારા બનાવાયેલ શેલ્ટર હોમમાં રહેવા અપીલ કરી હતી. તેમણે બોરૂ ગામમાં બનાવાયેલ શેલ્ટર હોમની મુલાકાત લઇ સ્થળાંતરીત લોકો માટે કરવામાં આવેલા ભોજન, પાણી, શૌચાલય વગેરે વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી અધિકરીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરની આ મુલાકાત વેળાએ થરાદ પ્રાંત અધિકારી કે.એસ.ડાભી, સૂઇગામ પ્રાંત અધિકારી એસ. એ. ડોડીયા, મામલતદાર વિજયદાન ગઢવી અને બી.જે.દરજી સહિત અન્ય અધિકારીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maruti Suzuki Jimny को सस्ते में खरीदने का मौका! Thunder Edition के साथ घट गई कीमत; जानें डिटेल्स
Maruti Suzuki ने भारतीय बाजार में चुपके से Jimny का एक स्पेशल एडिशन लॉन्च किया है। Jimny का थंडर...
સ્મશાનઘાટ પર અંતિમસંસ્કાર માટે મચ્યો હંગામો, મામલો જાણીને ચોંકી જશો
છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લામાં મૃતદેહના અંતિમ સંસ્કારને લઈને બંને પક્ષો વચ્ચે ભારે વિવાદ થયો...
देशभर में मनाई जा रही बकरीद, राष्ट्रपति मुर्मू और पीएम मोदी ने ईद-उल-अजहा पर दीं शुभकामनाएं
देशभर में आज बड़े ही हर्षोल्लास के साथ बकरीद का त्योहार मनाया जा रहा है। इस मौके पर राष्ट्रपति...
মৰাণ নগৰত "আজাদী কা অমৃত মহোত্সৱ"
ভাৰতীয় জনতা পাৰ্টি, চাৰাইদেউ জিলাৰ মৰাণ নগৰ মণ্ডলত "আজাদী কা অমৃত মহোত্সৱ" অভিযানৰ লগত সঙ্গতি...
Top 9 Gujarat News Update | 03-09-2022 | TV9GujaratiNews
Top 9 Gujarat News Update | 03-09-2022 | TV9GujaratiNews