"બિપરજોય" વાવાઝોડાની સંભવિત અસરો સામેની પૂર્વ તૈયારી અને લોકોની સુરક્ષા-સલામતી માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. રાજસ્થાન તરફથી આવતી રેલ નદી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, થરાદ અને વાવ તાલુકામાંથી પસાર થાય છે. જેના વહેણ વિસ્તાર નજીકના થરાદ તાલુકાના પાવડાસણ, લોઢનોર અને દુધવા ગામની આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ અને પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ સંયુક્ત મુલાકાત લઇ ગ્રામજનો સાથે સાવચેતીના પગલાંઓ અંગે ચર્ચા કરી હતી તથા વાવાઝોડામાં સાવચેતીના ભાગરૂપે લોકોને શિફ્ટ થવા અથવા તો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ શેલ્ટર હોમમાં શિફ્ટ થવાની સુચના આપી હતી અને પશુઓને ઊંચાણવાળી સલામત જગ્યાએ રાખવા પણ જણાવ્યું હતું ત્યારબાદ કલેક્ટરએ અધિકારીઓ સાથે સૂઇગામ તાલુકાના સરહદી બોરૂ અને મસાલી ગામની મુલાકાત લઇ મીઠાના અગરીયાઓ અને ગામલોકો સાથે વાવાઝોડાની ગંભીરતા વિશે વાતચીત કરી સલામત સ્થળે આશ્રય લેવા અથવા સરકાર દ્વારા બનાવાયેલ શેલ્ટર હોમમાં રહેવા અપીલ કરી હતી. તેમણે બોરૂ ગામમાં બનાવાયેલ શેલ્ટર હોમની મુલાકાત લઇ સ્થળાંતરીત લોકો માટે કરવામાં આવેલા ભોજન, પાણી, શૌચાલય વગેરે વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી અધિકરીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરની આ મુલાકાત વેળાએ થરાદ પ્રાંત અધિકારી કે.એસ.ડાભી, સૂઇગામ પ્રાંત અધિકારી એસ. એ. ડોડીયા, મામલતદાર વિજયદાન ગઢવી અને બી.જે.દરજી સહિત અન્ય અધિકારીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पति को जहर देकर मारने वाली अमेरिकी महिला कोरी को जेल की सजा, गूगल पर सर्च किया था 'अमीरों के लिए लग्जरी जेल'
पति की हत्या करने के बाद एक बच्चों की किताब लिखने वाली अमेरिकी महिला कोरी रिचिन्स को...
સંતો ભક્તો ની ભુમી જુનાગઢ સોરઠ ભૂમિ ખાતે યોજાયેલ આમ આદમી પાર્ટીના જાહેર સંમેલનમાં અમરેલી નાં કુકાવાવ વડીયા વિસ્તારના ૨૦૦/- જેટલા કાર્યકરો પહોંચ્યા જુનાગઢ કેજરીવાલજી ની સભામાં
કુકાવાવ વડીયા ધારાસભા બેઠક ના સંભવિત ભાવિ ઉમેદવાર લાલભાઈ બોદર ની આગેવાની નીચે આપ નાં કાર્યકરો...
એ-ડિવીઝન, બી-ડિવીઝન, જોરાવરનગર, વઢવાણ, લખતર અને મુળી પોલીસ મથકની હદમાં ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો
સુરેન્દ્રનગર ડિવિઝનના અલગ-અલગ 6 જેટલા પોલીસ મથકોની હદમાં ઝડપાયેલા ઈંગ્લીશ દારૂ અને બિયર સહિતના...
जबरन चुप कराने और देशद्रोही बताने का चलन लोकतंत्र पर पड़ेगा भारी, खरगे बोले- संसद को बनाया गया युद्ध का अखाड़ा
नई दिल्ली, भीमराव आंबेडकर की जयंती पर कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे ने शुक्रवार...