સુરેન્દ્રનગર - અમદાવાદ રેલવે રુટ પર અપલાઇન પર ત્રણ મોટા પથ્થર મૂકી ટ્રેન ઊથલાવવાની કોશિશ કરાઇ હોવાની બાબતે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ રુટ પરથી એન્જિન પસાર થઇ રહ્યું હતું ત્યારે તેની સાથે પથ્થર અથડાતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર - અમદાવાદ રેલ રૂટ સૌરાષ્ટ્ર અને ગુજરાતને જોડતો હોવાથી આ ટ્રેક પર 24 કલાકમાં 80થી વધુ પેસેન્જર ટ્રેનો પસાર થાય છે.સુરેન્દ્રનગરથી અમદાવાદ જતાં સુરેન્દ્રનગર વાળા રોડ પાસે રેલવેના કેએમ નંબર 622/7-9 પાસે લોકો પાઇલટ રાજેશકુમાર લાઇટ એન્જિનને લઇ સુરેન્દ્રનગરથી અમદાવાદ તરફ જઇ રહ્યા હતા ત્યારે તા. 13 જૂને સાંજના 7 વાગ્યાની આસપાસ ટ્રેક પર પથ્થરો જોતા ઇમરજન્સી બ્રેક લગાવી હતી. છતાં પહેલો પથ્થર અથડાઇ જતા એન્જિનના આગળના ભાગને નુકસાન થયું હતું.તેમણે નીચે ઉતરીને જોતા 20 થી 25 કિલોનો એક એવા 3 પથ્થર ટ્રેક પર જોવા મળતા તેમણે ઉપરી અધિકારીઓને જાણ કરતા અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. દરમિયાન જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ સ્થળ પર દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી કે. કે. પારેખ કોમર્સ કોલેજમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ
અમરેલી કે. કે. પારેખ કોમર્સ કોલેજમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ
Airtel vs Jio: 365 दिन वैलिडिटी वाला सबसे सस्ता रिचार्ज किसका बेहतर, किसमें ज्यादा बेनिफिट
रिलायंस जियो और एयरटेल दोनों की तरफ से 365 दिन की वैलिडिटी के लिए कई रिचार्ज प्लान पेश किए जाते...