અરબી સમુદ્રમાં સર્જાયેલું બીપરજોય વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયા કાઠે તકરાવવાની સંભાવના ઓ રહેલી છે.ત્યારે તેની અસર સુરત સહિતના દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા પર જોવા મળશે.વાવાઝોડામાં પવનના કારણે મોટા વૃક્ષો ધરશાયી થવાના કારણે આપાતકાલિન પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત સુરત વન વિભાગ દ્વારા તાલુકાની વિવિધ રેન્જ ઓફીસ ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે જેમાં મહુવા તાલુકાની રેન્જ કચેરી ખાતે સુ.શ્રી.એ.બી.ચૌધરી મો.7623940458(02625 255259) ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ટ્રાન્સપોર્ટ વાહનો,યુનક્રોમ જેકેટ,વોકી ટોકી,કુહાડી, કટર,દોરડા જેવા સાધન સુવિધાઓ સાથે અધિકારી કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.