પાટડી પંથકમાં વાવાઝોડાની આફતને પહોંચી વળવા સરકારી તંત્રની સાથે RSSના સ્વયંસેવકો ખડેપગે તૈયાર છે. જ્યારે ખારાઘોડામાં ગ્રામ પંચાયત દ્વારા ઢોલ વગાડી ગ્રામજનોને વાવાઝોડાના પગલે સચેત રહેવા જણાવવામાં આવ્યું છે. જ્યારે મોડી સાંજે બિપરજોય વાવાઝોડાના પગલે માલવણ સહિતના ગામોમાં જોરદાર પવનના સૂસવાટા વચ્ચે વરસાદ ખાબક્યો હતો.પાટડી પંથકમાં બિપરજોય વાવાઝોડાની દહેશતના પગલે પ્રાંત કલેક્ટર ભાવનાબા ઝાલા અને મામલતદાર મોઢવાડીયા દ્વારા આખુ રણ ખાલી કરાવવાની સાથે પાટડી નગર અને હાઇવે પરના તમામ હોડીંગ્સ ઉતારી લેવડાવવામાં આવ્યા છે. સાથે સરકારી તંત્ર દ્વારા વાવાઝોડાના પગલે રસ્તામાં વૃક્ષો ધરાશાયી થાય તો સ્ટેટ અને માર્ગ મકાન વિભાગ, લાઇટો માટે પીજીવીસીએલ વિભાગ, વનવિભાગ સહિત તમામ વિભાગો સાથે મેરોથોન મીટીંગ યોજી તમામ ગામોના તલાટી કમ મંત્રીને જે તે ગામોમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.જ્યારે ઝીંઝુવાડા રણમાં વાછડાદાદા મંદિર, ઝીંઝુવાડામાં રાજેશ્વરી મંદિર, પીપળીમાં રામદેવપીર મંદિર અને પાટડીમાં આબુરાજ અન્નક્ષેત્ર ખાતે આફતને પહોંચી વળવા રહેવા, જમવા સહિત ફુડ પેકેટ્સની પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સાથે પાટડી પંથકમાં વાવાઝોડાની આફતને પહોંચી વળવા સરકારી તંત્રની સાથે RSSના સ્વયંસેવકો ખડેપગે તૈયાર છે. જેમાં જિલ્લા લેવલે આરએસએસના દેવેન્દ્રભાઇ પાવરા અને તાલુકા લેવલે સુરેશભાઇ હદાણી અને વિમલભાઇ દરજી દ્વારા ગામેગામ સ્વયંસેવકોની ટીમ આફતને પહોંચી વળવા ખડેપગે તૈયાર રાખવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાશિ ચક્ર || જુઓ દુર્ગાપ્રસાદ શાસ્ત્રી સાથે || BULETIN INDIA
#buletinindia #aajkarashifal #aajkapanchang #ahmedabad
MS યુનિવર્સિટીની હોસ્ટેલના વિદ્યાર્થીઓની હરકત
#buletinindia #gujarat #vadodara
औरंगाबाद शहरात खळबळ जणक घटना मागील ४८तासांमध्ये पांच जणांनी संपवली आपलीं जिवन यात्रा
सर्वत्र मोठ्या आनंदात दिवाळी साजरी केली जात असताना मागील ४८ तासांमध्ये पाच जणांनी आत्महत्या केली...
ಬೆಂಗಳೂರಿನ ರವೀಂದ್ರ ಕಲಾಕ್ಷೇತ್ರದಲ್ಲಿ 'ಅನ್ವೇಷಣೆ ಸಾಂಸ್ಕೃತಿಕ ಅಕಾಡೆಮಿ' ವತಿಯಿಂದ ಖ್ಯಾತ ಶಿಲ್ಪಿ ಚಂದ್ರಶೇಖರಾಚಾರಿ ಅವರಿಗೆ ರಾಜ್ಯಮಟ್ಟದ ಪ್ರಶಸ್ತಿ ಪ್ರದಾನ ಮಾಡಲಾಯಿತು.
ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್ 2, 2025
ಬೆಂಗಳೂರಿನ ರವೀಂದ್ರ ಕಲಾಕ್ಷೇತ್ರದಲ್ಲಿ 'ಅನ್ವೇಷಣೆ ಸಾಂಸ್ಕೃತಿಕ ಅಕಾಡೆಮಿ' ವತಿಯಿಂದ...