ચુડા તાલુકાના છલાળા ગામે ઓટલા ઉપર બેસવા બાબતે મારામારી થતાં એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. છલાળા ગામે રહેતા રાહુલભાઈ મનજીભાઈ જેઝરીયા તેમના જુના મકાનની બાજુમાં રહેતા પ્રવિણભાઈ બેચરભાઈ ગોહિલના મકાનની દિવાલને અડીને બજારમાં ઓટલા ઉપર બેઠા હતા. તે દરમિયાન રાયસંગભાઈ ગોહિલે તું અમારા ઓટલા ઉપર કેમ બેઠો છે, ઉભો થઈ જા કહી રહ્યા હતા,તેટલીવારમાં પ્રવિણભાઈ બેચરભાઈ ગોહિલ ત્યાં આવી પહોંચતા બન્ને ભાઈઓ બોલાચાલી કરીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. તેમજ બન્નેએ ઉશ્કેરાઈને લોખંડના પાઈપ તથા છરી વડે રાહુલભાઈ ઉપર હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છુટયા હતા. જ્યારે રાહુલભાઈને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ચુડા પોલીસે બન્ને ભાઈઓ વિરૂધ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ગીરસોમનાથ મા ગણેશજીની મૂતીઁના વેચાણમા 39% ઘટાડો થયો | BS9 TV NEWS 
 
                      ગીરસોમનાથ મા ગણેશજીની મૂતીઁના વેચાણમા 39% ઘટાડો થયો | BS9 TV NEWS
                  
   હારીજ વોટર વર્કસ આવેલ ગોગા મહારાજના મંદિરે હવન યજ્ઞ યોજાયો 
 
                      હારીજ વોટર વર્કસ આવેલ ગોગા મહારાજના મંદિરે હવન યજ્ઞ યોજાયો
 
હારીજ મામલતદાર કચેરી સામે...
                  
   10 बजे पूर्व बाजार बंद करवाना गलत और संवेदनहीन फैसला, बंद के नाम पर पुलिस द्वारा लोगों को परेशान दुर्भाग्यपूर्ण - जितेन्द्र शर्मा 
 
                      10 बजे पूर्व बाजार बंद करवाना गलत और संवेदनहीन फैसला, बंद के नाम पर पुलिस द्वारा लोगों को परेशान...
                  
   અમરેલી ખેડૂત નું કહેવું છે કે જો ચેક ડેમ બાંધવામાં આવે તો 100% પાણીના તળ ઉંચા આવે છે. 
 
                      અમરેલી ખેડૂત નું કહેવું છે કે જો ચેક ડેમ બાંધવામાં આવે તો 100% પાણીના તળ ઉંચા આવે છે.
                  
   
  
  
  
   
   
  