સુરેન્દ્રનગરની સી.જે.હોસ્પિટલનો વિડીયો વાઇરલ થયો છે. સુરેન્દ્રનગર શહેરના એક નિવૃત પીએસઆઇની પત્નીએ હોસ્પિટલની દાદાગીરી અને હાલાકીનો દર્દનાક વીડિયો વાઇરલ કરતા ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગર શહેરની સી.જે.હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરોએ સારવારમાં બેદરકારી રાખી હોવાનો નિવૃત્ત પીએસઆઇની પત્નિ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.સુરેન્દ્રનગરના નિવૃત્ત પીએસઆઇ અને હાલ સુરેન્દ્રનગર શહેરની સી.જે.હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દી મુકુન્દરાય ભટ્ટને ડોક્ટરોએ બેદરકારી દાખવી ભગવાન ભરોસે મૂકી દીધા હોવાનો દર્દીના પત્નિ જાગૃતિબેન મુકુન્દરાય ભટ્ટે વિડીયો વાયરલ કરતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે. જેમાં દર્દી પતિ મોતના મુખમાં હોવા છતાં વધુ પૈસા લઈને ડિસ્ચાર્જ આપી દીધો હોવાનો ગંભીર આક્ષેપ મહિલાએ કર્યો હતો.જેમાં સુરેન્દ્રનગરના નિવૃત્ત પીએસઆઇ અને દર્દી મુકુન્દરાય ભટ્ટની પત્નિ જાગૃતિબેન ભટ્ટ નામની મહિલાએ વિડિઓ મારફત પોતાની વ્યથા વર્ણીવી હતી. જેમાં સુરેન્દ્રનગર શહેરની સી.જે.હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં એસી ચાલુ ન હોવાનું અને સારવાર સેવામાં વધુ પૈસા લઈને હડધૂત કર્યાનો વિડીયોમાં ઉલ્લેખ કરી મદદ માંગી છે. ત્યારે એક મહિલાનો વિડીયો વાઇરલ થતા પ્રજામાં હોસ્પીટલ તંત્ર સામે ફીટકારની લાગણી ફેલાઈ જવા પામી છે. હાલમાં તો સુરેન્દ્રનગર શહેરમાં આ વાયરલ વિડીયો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે. જ્યારે હોસ્પિટલના સત્તાવાળાઓએ જણાવ્યું કે, હોસ્પિટલમાં ગમે તે વ્યક્તિ સારવાર અર્થે આવે એને યોગ્ય અને સારી જ સારવાર આપવામાં આવે છે. હોસ્પિટલ માટે જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ તદન પાયાવિહોણા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Apple Watch Series 9 Launch: एपल ने लॉन्च की नई स्मार्टवॉच, Ultra Watch 2 ने भी मारी एंट्री
Apple Watch Series 9: एपल ने Wonderlust इवेंट में नई एपल वॉच सीरीज 9 को लॉन्च कर दिया है. इसके...
ঈদ-এ-মিলাদুন্নবী উৎসৱত লাউডস্পীকাৰ-শোভাযাত্ৰাত নিষেধাজ্ঞা ৰাজ্য চৰকাৰৰ
মুখ্যমন্ত্ৰী ড০ হিমন্ত বিশ্ব শৰ্মা নেতৃত্বাধীন অসম চৰকাৰে আজি ৰাজ্যত ঈদ-এ-মিলাদুন্নবী উপলক্ষে...
पृथ्वीवर प्राणवायूची निर्मिती करण्यासाठी समुद्राची महत्त्वाची भूमिका:अप्पर जिल्हाधिकारी अमोल यादव
समुद्र हा वातावरणाचे संतुलन ठेवण्यासाठी आणि जगातील लाखो लोकांकरिता पाण्याचा प्रमुख स्रोत आहे....
બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં આજે અર્બુદા સેનાના નેજા હેઠળ આંજણા ચૌધરી સમાજનું વિશાળ સંમેલન
બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં આજે અર્બુદા સેનાના નેજા હેઠળ આંજણા ચૌધરી સમાજનું વિશાળ સંમેલન
તલગાજરડા:-ગતિશીલ ગુજરાતમાં ગંદકીનું સામ્રાજ્ય
ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામે દિન પ્રતિદિન વધી રહ્યું છે ગંદકીનું સામ્રાજય જે એ...