સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના પીએસઆઇ વી.એન.જાડેજાની બદલી રોકાવા સાયલાના આગેવાનો ગામલોકો સાથે ડીએસપી કચેરી દોડી આવ્યા હતા. કારણ કે, સાયલામા પીએસઆઇ વી.એન.જાડેજાએ ફરજ દરમયાન સાયલાની જનતા માટે સુરક્ષા અને સલામતી માટે સુંદર પ્રયાસો કર્યા હતા. સાથે સાયલા વિસ્તારના લોકોને પીએસઆઇ વી.એન.જાડેજા ખુબ મદદરૂપ પણ બન્યા હતા.સાયલાના પીએસઆઇ વી.એન.જાડેજાએ ફરજ દરમિયાન ગુનાખોરી અને ગુનેગારોને નેસ્તનાબૂદ કર્યા હતા. આથી સાયલાવાસીઓએ પીએસઆઇ વી.એન.જાડેજાની બદલી થતા બદલી અટકાવવા સુરેન્દ્રનગર ડીએસપી કચેરી દોડી આવ્યા હતા. અને સાયલા વેપારી એસોસિયેશન અને સિનિયર સિટીજનો અને નાગરિકોએ સાયલા પીએસઆઇ વી.એન.જાડેજાની બદલી અટકાવવા જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત સમક્ષ માંગ કરી હતી.જેમાં સાયલા વેપારી મહામંડળ અને સાયલા ગ્રામપંચાયતના લેટર હેડ પર લેખિતમાં બદલી અટકાવવા માંગ કરી હતી. વધુમાં ગામ આગેવાનો અને લોકોએ આક્રોશ સાથે જણાવ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં કોઇ એક પીએસઆઇને ત્રણ વર્ષ થી વધુ સમય થયો અને પ્રજાએ બદલી કરવા માંગ કરી છતાં બદલી કરવામાં આવી નથી. અને પ્રજાને જે પોલીસ અધિકારી ગમે તેની બદલી કેમ થાય છે ? એવા સણસણતા સવાલો પણ કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bilawal is an ISI spokesman: Chugh
Chandigarh: Taking strong exception to the observations made by Bilawal Bhutto in New...
AAGSUৰ উদ্যোগত মেধাৱী ছাত্ৰ ছাত্ৰীক সম্বৰ্ধনা
আজি ALL ASSAM GORKHA STUDENT'S UNION উদালগুৰি জিলা সমিতিৰ উদ্যোগত আৰু সমগ্ৰ জিলাৰ ১২ টা AAGSU ৰ...
પવિત્ર યાત્રાધામ કરનાળી ખાતે લાખો શ્રદ્ધાળુએ કુબેર દાદાના દર્શન કર્યા
પવિત્ર યાત્રાધામ કરનાળી ખાતે લાખો શ્રદ્ધાળુએ કુબેર દાદાના દર્શન કર્યા
જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કાંકરેજના ખારિયા ગામે સ્વચ્છતા અભીયાન હાથ ધરાયું...!
જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કાંકરેજના ખારિયા ગામે સ્વચ્છતા અભીયાન હાથ ધરાયું...!