સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનારા ધારા હત્યાકેસમાં સંડોવાયેલા ઈસમોને ફાંસી આપવાની માંગ ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર શહેરના મેળા ખાતેથી ઠાકોર સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી. આ હત્યાકેસમાં સંડોવાયેલા સૂરજ ભુવા સહિતના ઈસમોને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો એકત્રિત થયા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને કડક કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવી હતી. 18 મહિના પહેલા ધારાને ફોસલાવી અને સૂરજ ભુવા અને તેના સાગરિતોએ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક લાવી મોતને ઘાટ ઉતારી પુરાવા નાશ કરવા લાશને સળગાવી નાખી હતી.સુરેન્દ્રનગર શહેરના મેળા ખાતેથી ઠાકોર સમાજ દ્વારા ભવ્ય રેલી યોજવામાં આવી હતી. જેમાં ધારા હત્યા કેસના સંકળાયેલા તમામ લોકોને ફાંસીની સજાની માગ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરમાં યોજાયેલી આ આક્રોશ રેલીમાં લોકોએ સૂત્રોચ્ચારો સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.