બાળકો ને શૈક્ષણિક કીટ આપી કરી જન્મ દિવસ ની ઉજવણી,,,વર્તમાન સમયમાં જન્મ દિવસ ની ઉજવણી વિવિધ રીતે કરતા લોકો જોવા મળે છે. ત્યારે ભાથીજી.કે.ઠાકોર રામપુરા(ધુ) હાલ જોગમાયા ગેરેજ દિયોદર પોતા ના જન્મ દિવસ ની ઉજવણી રામપુરા (ધુ) પ્રા શાળાના નવીન પ્રવેશ લેનાર બાળકો ને શૈક્ષણિક કીટનું દાન આપી ને કરી હતી.આ ઉત્તમ કાર્યના માર્ગદર્શક મુકેશજી ઠાકોર કોતરવાડા( gkts પ્રદેશ મંત્રી ) ની પ્રેરણા થકી ઠાકોર સમાજના યુવાનો ને પોતાના જન્મદિવસની ઉજવણી વિશેષ રૂપે સેવા કાર્ય કરી ને ઉજવવાનો રાહ ચીંધ્યો હતો.આ પ્રસંગે ગોવિંદજી જાડા ( આર્શીવાદ મોબાઈલ દિયોદર) , ભરતજી ઠાકોર રવેલ (પ્રગતિ જનરલ દિયોદર ,અરવિંદજી ઠાકોર હાજર રહી ને શાળાના આચાર્યશ્રી અશોકભાઈ નાઈ ને કીટ અર્પણ કરવામાં આવી હતી..