વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ સંયુકત પાલિકાના વોર્ડ નં. 11ની 4 થી વધુ સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ આવેલી છે. તે કેનાલના ગંદા પાણીથી રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં રોગચાળાનો ભય સાથે પાલિકામાં યોગ્ય કાર્યવાહીની રહીશોએ માગ કરી હતી.વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના વોર્ડ નં. 11માં તાડકેશ્વર મંદિર, સત્યમ પાર્ક,માં શારદા, ભીમનગર તેમજ અન્ય સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ છે. ત્યારે આ કેનાલના પાણી રહેણાક વિસ્તારમાં આવતા હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.