સુરેન્દ્રનગરના દુધરેજ પાસેથી પસાર થતી કેનાલમાં યુવાન પડી ગયો હોવાની માહિતી મળી હતી. આથી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી જઇ 22 વર્ષના યુવાનની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે બે કલાકની જહેમત બાદ માત્ર લાશ હાથ લાગી હતી. તપાસમાં તે ખોડુ ગામનો હોવાનું બહાર આવ્યું હતું.સુરેન્દ્રનગર શહેર આસપાસમાંથી પસાર થતી કેનાલમાં અવારનવાર લોકોની લાશ મળવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે દુધરેજ ગામ પાસે રાજપર રેલ્વેના નાળા પાસેથી પસાર થતી કેનાલમાં એક યુવાન ડુબી ગયો હોવાની ફાયર વિભાગને જાણ થઇ હતી. આથી ફાયર વિભાગ દેવાંગભાઇ દુધરેજીયા, અશોકસિંહ, સંજયભાઇ, દિવ્યરાજસિંહ, ધર્મરાજસિંહ, શક્તિસિંહ, સિધ્ધરાજસિંહ સહિત ટીમ ઘટનાસ્થળે જઇ તપાસ હાથ ધરી હતી. જેમાં કેનાલમાં યુવાનની શોધખોળ ચાલુ રખાતા બે કલાકની જહેમત બાદ કાળો શર્ટ પહેરેલા યુવાનની લાશ મળી આવી હતી. આથી લાશ બહાર કાઢી હતી. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી પોલીસે ઓળખ અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં યુવાન ખોડુ ગામનો જયેશભાઇ પ્રેમજીભાઇ મકવાણા હોવાનુ બહાર આવ્યુ હતુ. આથી લાશ પીએમ અર્થે રાજકોટ મોકલી આપી પરીવારજનોને સોંપવા કાર્યવાહી હાથ ધરાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उदगीर येथील सामान्य रुग्णालयाने गाठला घाणीचा कळस
उदगीर येथील सामान्य रुग्णालयाने गाठला घाणीचा कळस
UP Politics: सरकार बनाम पार्टी की बहस पर सपा नेता Sunil Singh Sajan ने कही बड़ी बात | Aaj Tak
UP Politics: सरकार बनाम पार्टी की बहस पर सपा नेता Sunil Singh Sajan ने कही बड़ी बात | Aaj Tak
Breaking News: SP के नेता और पूर्व विधायक की करोडों की संपत्ति ED ने जब्त की | Akhilesh Yadav
Breaking News: SP के नेता और पूर्व विधायक की करोडों की संपत्ति ED ने जब्त की | Akhilesh Yadav
ભારત વિકાસ પરિષદ ઇસનપુરના ઉપક્રમે ખેડબ્રહ્મા સિવિલ ખાતે જરૂરિયાત મંદ દર્દીઓને ધાબળા નું વિતરણ કરાયું
ભારત વિકાસ પરિષદ ઇસનપુર ના ઉપક્રમે ખેડબ્રહ્મા સિવિલ ખાતે 55 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને ધાબળાનું...
ಕಳೆದ 23 ವರ್ಷಗಳಿಂದ ಕೃಷಿ ಮೇಳಕ್ಕೆ ಬರುತ್ತಿದ್ದೇನೆ - ಕೃಷಿ ಮೇಳದಲ್ಲಿ ಅನೇಕರಿಗೆ ಜೇನು ಕೃಷಿ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ನೀಡಿದ್ದೇವೆ
ನವೆಂಬರ್ 14, 2024
ಬೆಂಗಳೂರು ಕೃಷಿ ವಿಶ್ವವಿದ್ಯಾನಿಲಯದ ವತಿಯಿಂದ ಜಿಕೆವಿಕೆ ಆವರಣದಲ್ಲಿ "ಕೃಷಿ ಮೇಳ -...