ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર હજારો કરોડ રૂપિયાના કૌભાંડ મામલે ડીસા માં આજે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો હતો, અને નાયબ કલેક્ટર ને આવેદન પત્ર આપી કૌભાંડ આચરનારાઓ સામે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી તટસ્થ તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માગ કરી છે..
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ 10 હજાર કરોડ રૂપિયાના જમીન કૌભાંડ મામલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ભારે વિરોધ થઈ રહ્યો છે, જેમાં આજે ડીસા માં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપ ના નેતાઓએ કરેલા કૌભાંડ મામલે ભારે વિરોધ દર્શાવ્યો હતો, અને આપના તમામ કાર્યકરોએ ભેગા થઈ નાયબ કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું..
તેમજ પૂર્વ ન્યાયાધીશ ની આગેવાની માં રચના કરી તટસ્થ તપાસ કરવાની માગ કરી છે..
આ અંગે આમ આદમી પાર્ટીના ઉતર ગુજરાત ઝોનના પ્રભારી ડૉક્ટર રમેશ પટેલ અને ડીસા નગરસેવક વિજય દવે એ જણાવ્યું હતું કે, ભાજપ ના નેતાઓએ એટલા બધા કૌભાંડ કર્યા છે કે, હવે ગરવી ગુજરાત ને બદલે કૌભાંડી ગુજરાત તરીકે ઓળખાવા લાગ્યું છે..
ત્યારે વિજય રૂપાણીએ કરેલા જમીન કૌભાંડને બહાર લાવવા માટે પૂર્વ ન્યાયાધીશ ની આગેવાની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી તટસ્થ તપાસ થવી જોઈએ અને જે રીતે વિપક્ષના લોકોએ કૌભાંડ ન કર્યું હોય તેમ છતાં પણ જેલમાં પુરી દેવાય છે, તેને બદલે કૌભાંડ કરનારાઓ સામે કડક કાર્યવાહી થાય અને કૌભાંડી ગુજરાત ને બદલે ફરીથી ગરવી ગુજરાત તરીકે ઓળખાય તેવી રજૂઆત કરી છે..