પ્રકૃતિની શોભા વૃક્ષ ને ધ્યાનમાં રાખી મહુધા કેળવણી મંડળના સહમંત્રી ભીખાભાઈ પટેલ,શાળાના આચાર્ય સંજયકુમાર પંચાલ,મદદનીશ શિક્ષક બ્રિજેશ પટેલ, ભવાનભાઈ જાદવ,પ્રવિણભાઇ મેનિયા સહિત સમગ્ર સ્ટાફ દ્વારા 200 જેટલા છોડ શાળાના બગીચામાં તથા નગીના વાડી વિસ્તારમાં રોપવામાં આવ્યા હતા.ધો 12 ના વિદ્યાર્થીઓએ પ્રત્યેક છોડ મારી જવાબદારી સમજીને તેને ઉછેરવા માટે શાળાના અભ્યાસ કાળ સુધી પોતાની જવાબદારી નિભાવી મહુધાને નંદનવન બનાવવા સહભાગી બનશે.