*કાંકરેજ ના પાદરડી ખાતે સ્વામી નારાયણ સંસ્થાના સંતો દ્વારા સત્સંગ પ્રવચન કરાયું,,.બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે નાઈ કલ્પેશભાઈ રત્નાભાઇ ના ફાર્મ હાઉસ ઉપર સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારમાં વહેલા ૭:૩૦થી ૯:૩૦ દરમિયાન વિશ્વ શાંતિ મહાયજ્ઞ યોજાયો હતો.ગાયત્રી ઉપાસક એવા લીલાભાઈ નાઈ દ્વારા આ યજ્ઞ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી મહેસાણા થી બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના સંત પૂજ્ય ઉત્તમ પ્રિયદાસ સ્વામી અને પૂજ્ય નિત્ય સેવાદાસ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ધૂન,ભજન તેમજ પધારેલ સંતો દ્વારા પ્રવચન રજુ કરવામાં આવ્યું હતું આ યુગમાં માણસ દુઃખી કેમ છે તેની સમજણ આપી હતી તેમજ બી.એ.પી.એસ સંસ્થા હાલ કેટલા સુધી વિસ્તરેલી છે તેની પણ માહિતી આપી હતી. સંતો દ્વારા સરસ મજાનું પ્રવચન રજુ કરવામાં આવ્યું હતું તેમજ કલ્પેશભાઈ પરિવાર દ્વારા પધારેલ સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું.સાથોસાથ પધારેલ મહેમાનો અને સમાજના અગ્રણી પુસ્તક આપી સન્માન કર્યું હતું આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌ કોઈ એ કલ્પેશભાઈ ને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.કાર્યક્રમ ના અંતે સૌ કોઈએ સ્વરુચિ ભોજન લીધું હતું....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राज्यात शेतकऱ्यांसाठी ओला दुष्काळ जाहीर करा आदित्य ठाकरे@india report
राज्यात शेतकऱ्यांसाठी ओला दुष्काळ जाहीर करा आदित्य ठाकरे@india report
રાધનપુર : સુરભી ગૌશાળા દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ | SatyaNirbhay News Channel
રાધનપુર : સુરભી ગૌશાળા દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ | SatyaNirbhay News Channel
स्काउट पदाधिकारियों ने लिया अभिरूचि शिविर का जायज़ा स्काउटिंग गाइडिंग स्वावलंबन की राह है :त्रिभुवन गौतम
बूंदी
राजस्थान राज्य भारत स्काउट गाइड स्थानीय संघ के तत्वावधान में पेच ग्राउंड पर संचालित...