કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડા ખાતે તારીખ ૫ થી ૭ જુલાઈ અને તારીખ ૧૨ થી ૧૪ જુલાઈ, ૨૦૨૨ના રોજ આર્યા યોજના અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા વિકસાવતી ત્રી-દિવસીય આવાસી તાલીમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સેવા ફાઉંડેશન, અમદાવાદ સાથે જોડાયેલા વિવિધ સ્વસહાય જૂથોની કુલ ૫૨ જેટલી બહેનોએ ઉમંગભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમોની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડાના વિસ્તરણ શિક્ષણ વિષયના નિષ્ણાંત કલ્પેશકુમાર ટાંકોદરાએ સર્વેનું શાબ્દીક સ્વાગત કરી કેન્દ્રની વિવિધ પ્રવૃતિઓ અંગે માહિતી આપી હતી. ત્યારબાદ કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. પી. કે. શર્મા દ્વારા કેન્દ્ર ખાતે કાર્યરત આર્ય યોજના અંગે પોતાના વક્તવ્યો આપ્યા હતા. ત્યારબાદ કેન્દ્રના બાગાયત વિષયના નિષ્ણાંત એમ. કે. ચૌધરીએ માસ્ટર ટ્રેનર તરીકે તાલીમાર્થી બહેનોને ત્રણ દિવસ સુધી ઉદ્યોગસાહસિકતા વિકસાવવાના હેતુ થી સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં કારેલા, ગુવાર અને કરમદા જેવા ઋતુગત શાકભાજી પાકોની હીટ પમ્પ ફૂડ ડીહાયડ્રેટર મશીન દ્વારા સુકવણી, પી. કે. વી. મિનિ દાળમીલ દ્વારા મગ, અડદ અને ચણા જેવા કઠોળની દાળ બનાવવી, હોમ સ્કેલ મિનિ રાઈસ મીલ મશીન દ્વારા ડાંગર માંથી ચોખા તૈયાર કરવા, સ્પાયરલ ક્લીનર દ્વારા કઠોળ અને અનાજની સફાઇ અને ગ્રેડિંગ કરવું અને મિલ્ક ક્રીમ સેપરેટર મશીન દ્વારા દૂધના મૂલ્યવર્ધન અંતર્ગત ક્રીમ અને સેપરેટેડ મિલ્ક બનાવવા તથા ક્રીમ માંથી ઘી અને સેપરેટેડ મિલ્ક માંથી દહીં બનાવવા અંગે સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તદુપરાંત "ટોમેટો ક્રશ" તકનીકી અંતર્ગત ટામેટા માંથી “ટોમેટો ક્રશ” બનાવવાના વિવિધ તબક્કા અને તેના માટે ઉપયોગમાં લેવાતા સાધનો અંગેની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. ત્રી દિવસીય તાલીમ કાર્યક્રમોના અંતે કેન્દ્રના પશુપાલન વિષયના નિષ્ણાંત ડૉ. કે. એ. પ્રજાપતિ દ્વારા તાલીમાર્થી બહેનો પાસે થી તાલીમ અંગેના પ્રતિભાવો મેળવી અને આભારવિધિ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बापरे! तरुणीसोबत स्विमिंग पूलमध्ये घडल अस काही...
मुंबई: सध्या सोशल मीडियावर व्हिडीओ खूप व्हायरल होतोय. सुट्यांच्या दिवशी आपण फिरायला जातो. बरेच जण...
Poco C61: 6GB रैम और 5000mAh बैटरी वाला फोन आज होगा लॉन्च, इन खूबियों के साथ हो रही डिवाइस की एंट्री
पोको आज अपने भारतीय ग्राहकों के लिए एक नया फोन Poco C61 लॉन्च करने जा रहा है। कंपनी इस फोन को...
તરણેતરના મેળામાં પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના નિર્મળાબા તેમજ પૂજનીય સંતો દ્વારા મંદિરમાં શિવપૂજન બાદ ધ્વજારોહણ કરાયું
સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં યોજાયેલા તરણેતરના મેળામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને...