સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ લખતર હાઇવે પર કોઠારિયા નજીક ઉમઇ નદીના પુલ પરથી રાત્રે ટ્રક પસાર થઇ રહ્યો હતો. ત્યારે કોઇ કારણોસર ટ્રક પલટી મારતા પુલની લોખંડની ગ્રીલો સહિત તોડીને 50 ફૂટ નીચે ટ્રક ખાબક્યો હતો. જેમાં જૂનાગઢના ડ્રાઇવરનું મોત થયું હતુ તેમજ ક્લિનરને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી.સુરેન્દ્રનગરના વઢવાણ-લખતર હાઇવે પર દિવસે દિવસે અકસ્માતોના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે વઢવાણ તાલુકાના કોઠારિયા નજીક પુલ પરથી રાત્રીના અંધારામાં જૂનાગઢ પાર્સિંગનો ટ્રક પસાર થઇ રહ્યો હતો. ત્યારે કોઇ કારણોસર એકાએક ટ્રક ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક પલ્ટી મારતા પુલની લોખંડની ગ્રીલો તોડીને અંદાજે 50 ફૂટ નીચે ખાબક્યો હતો. આ ગોઝારા અકસ્માતના બનાવમાં ઘટનાસ્થળે જ ટ્રકના ડ્રાઇવરનું મોત થયું હતું.આ અકસ્માતની ઘટનાની જાણ થતા કોઠારિયા ગામ લોકો તેમજ વઢવાણ પીએસઆઈ ડી.ડી.ચુડાસમા, એએસઆઈ એ.વી.દવે સહતિની ટીમ તાકીદે ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અને ટ્રકના ક્લિનરને ગંભીર ઇજાઓ થતા 108ની મદદથી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. મૃતક ટ્રકના ડ્રાઇવર જૂનાગઢ જિલ્લાના માણાવદર ગામના પાદરડી ગામના 47 વર્ષના ભાનજીભાઈ રાણાભાઈ મકવાણા તેમજ ઇજાગ્રસ્ત ક્લનિર આ જ ગામના નાગાજણભાઈ ઉકાભાઇ કેસવાડા હોવાનું ખૂલ્યું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેસાણા : પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેમના CAની ક્રાઈમ બ્રાન્ચે અડધી રાત્રે ધરપકડ કરી : જુઓ CCTV
મહેસાણા દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે ગુજરાતના પુર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અમદાવાદ...
মাজুলীৰ সাংস্কৃতিক বিশ্ব বিদ্যালয় খন থাকিবগৈ নে? আজি দুটা বছৰে যোৰা-তাপলি মাৰি চলিছে বিশ্ববিদ্যালয়
মাজুলীৰ সাংস্কৃতিক বিশ্ব বিদ্যালয় খন থাকিবগৈ নে? আজি দুটা বছৰে যোৰা-তাপলি মাৰি চলিছে...
Swami Vivekananda Jayanti: 'उनके विचार हमेशा मार्गदर्शन करते रहेंगे', स्वामी विवेकानंद जयंती पर पीएम मोदी बोले
प्रधानमंत्री नरेन्द्र मोदी ने बृहस्पतिवार को स्वामी विवेकानंद को उनकी जयंती पर श्रद्धांजलि अर्पित...