સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ લખતર હાઇવે પર કોઠારિયા નજીક ઉમઇ નદીના પુલ પરથી રાત્રે ટ્રક પસાર થઇ રહ્યો હતો. ત્યારે કોઇ કારણોસર ટ્રક પલટી મારતા પુલની લોખંડની ગ્રીલો સહિત તોડીને 50 ફૂટ નીચે ટ્રક ખાબક્યો હતો. જેમાં જૂનાગઢના ડ્રાઇવરનું મોત થયું હતુ તેમજ ક્લિનરને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી.સુરેન્દ્રનગરના વઢવાણ-લખતર હાઇવે પર દિવસે દિવસે અકસ્માતોના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે વઢવાણ તાલુકાના કોઠારિયા નજીક પુલ પરથી રાત્રીના અંધારામાં જૂનાગઢ પાર્સિંગનો ટ્રક પસાર થઇ રહ્યો હતો. ત્યારે કોઇ કારણોસર એકાએક ટ્રક ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક પલ્ટી મારતા પુલની લોખંડની ગ્રીલો તોડીને અંદાજે 50 ફૂટ નીચે ખાબક્યો હતો. આ ગોઝારા અકસ્માતના બનાવમાં ઘટનાસ્થળે જ ટ્રકના ડ્રાઇવરનું મોત થયું હતું.આ અકસ્માતની ઘટનાની જાણ થતા કોઠારિયા ગામ લોકો તેમજ વઢવાણ પીએસઆઈ ડી.ડી.ચુડાસમા, એએસઆઈ એ.વી.દવે સહતિની ટીમ તાકીદે ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અને ટ્રકના ક્લિનરને ગંભીર ઇજાઓ થતા 108ની મદદથી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. મૃતક ટ્રકના ડ્રાઇવર જૂનાગઢ જિલ્લાના માણાવદર ગામના પાદરડી ગામના 47 વર્ષના ભાનજીભાઈ રાણાભાઈ મકવાણા તેમજ ઇજાગ્રસ્ત ક્લનિર આ જ ગામના નાગાજણભાઈ ઉકાભાઇ કેસવાડા હોવાનું ખૂલ્યું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मनोज गरबडे वरील कारवाई बेकादेशीर?; सोशल मीडियावर ‘Release Manoj Garbade’ ट्रेण्डवर
मुंबई : पुण्याचे पालकमंत्री चंद्रकांत पाटील यांच्यावर शाईफेक करण्यात आल्यानंतर राज्यातील राजकीय...
Moto G04 vs Moto G04s: प्रोसेसर से लेकर बैटरी तक, कौन सा बजट फोन आपके लिए बेहतर, ऐसी खूबियां जो जीत लेंगी दिल
मोटोरोला ने आज भारत में अपने लेटेस्ट फोन Moto G04s को लॉन्च किया है। आपको बता दें कि इस फोन में...
માળીયાહાટીના ના માળેશ્વર મંદિરે શિવ ભક્તો આજે ઉમટી પડ્યા
માળીયાહાટીના ના માળેશ્વર મંદિરે શિવ ભક્તો આજે ઉમટી પડ્યા
Breaking News: Uttarkashi Tunnel Rescue को लेकर PM Modi ने ली जानकारी, CM Dhami को किया फोन
Breaking News: Uttarkashi Tunnel Rescue को लेकर PM Modi ने ली जानकारी, CM Dhami को किया फोन