https://youtu.be/vDM19_enYe0

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

આજે એક એવા વ્યકિતી વિશેષ ની વાત કરવી છે જેઓ એ શુન્યમાથી સર્જન કર્યુ તેમજ ઉત્તમ સમાજ સેવા નુ ઉદાહરણ પુરુ પાઙયુ, સેવાવૃતીનૂ કોઈ પણ કાર્ય હોય ત્યા તેઓ હંમેશા તત્પર હોય છે ,આજે વાત કરવી છે કિશોરસિંહ રાવ ની જેઓ કોરોના કાળ હોય કે પછી 2015 અને 2017 નુ પુર તેઓ હંમેશા જન સેવામા માટે હંમેશા તત્પર જ હોય છે 

અહેવાલ 

      પુરુ નામ કિશોરસિંહ પુનમાજી બારોટ કિશોરસિંહ નો જન્મ 1/6/1967 ના રોજ થયો હતો 

        આઠમુ ધોરણ અધુરુ મુકીને બારદાન વેચાણ ના વ્યવસાય સાથે જોઙાયા 

,એક બાજુ ઘરની પરીસ્થિતી ખરાબ અને બિજી બાજુ પિતાજી નૂ 1981 મા મૃત્યુ, પિતાજીના ગયા પછી સંપૂર્ણ જવાબદારી કિશોરસિંહ પર આવી, એ સમય પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે એક સમયનુ ભોજન પણ માંઙ મળતુ 

  ઘરની પરીસ્થીતી ખરાબ હોવાના લિધે રોજગાર માટે મુંબઈ જવાનુ નક્કી કર્યુ, ત્યા જઈને મેટલ બજારમા 700 રુપિયાના પગારમા નોકરી કરી, નોકરી દરમિયાન ઘરમા શુભ પ્રસંગ હોવાથી એમના શેઠ પાસે પાંચ હજારનો ઉપાઙ માંગતા એમને ઉપાઙ આપવાની ના પાઙી એ સમયે કિશોરસિંહે મનમા કઈક મોટુ સપનુ નક્કી કરી એ જ દિવસે ત્યાથી જતા રહેવાનુ નક્કી કર્યુ અને મુંબઈ મા જ પોતાની ઓફિસથી નાની શરુઆત કરી ,આ રિતે નાની નાની મજુરી કરીને પોતાના પ્રસંગો સાચ્વ્યા અને 1990 મુંબઈ છોઙી દીધુ અને કાયમી ધોરણે ધાનેરા રહેવાનુ નક્કી કર્યુ 

   ધાનેરામા ખેતીના કામથી શુભ શરૂઆત કરી અને અને એ સમયે જ ધાનેરા ખાતે બજરંગ દળની જવાબદારી નિભાવી એક ઉત્તમ ધાર્મિક ઉદાહરણ પુરુ પાઙયુ હતુ 

         આવી જ રિતે સતત સેવાકીય વૃતિ ચાલુ રાખી અને 2009/10 મા ભારતીય જનતા પાર્ટીમા જોઙાયા અને પાર્ટી માટે તન મન ધનથી મહેનત ચાલુ રાખી અને હાલ ધાનેરાના એક મજબૂત નેતા અને ભામાશાહ તરીકે ઉભરી આવ્યા

       ધાનેરામા 2015 કે પછી 2017 નુ પુર હોય તેમા પણ કિશોરસિંહ રાવ દ્વારા પિઙીત લોકોની સેવામા ક્યાય પાછી પાની કરી નથી તે પછી કોરોનાની લહેરમા પણ કિશોરસિંહ રાવ અને એમના પરીવાર દ્વારા પોતાના ઘરે રસોઙુ ચાલુ કરેલ અને જે લોકોને જમવાનુ નસીબમા પણ ન હતુ તેવા સમયે કિશોરસિંહ દ્વારા બે ટાઈમ નુ ભોજન જમવામા આવી રહ્યુ હતુ આવી રિતે એક આખો મહિનો રસોઙુ ચલાવેલ અને એના પછી કોરોનાની બિજી લહેર આવી એ વખતે પણ કિશોરસિંહ રાવ દ્વારા લોકોને ભોજન આપવાનુ ભગીરથ કાર્ય કરવામા આવેલ...

     લોકોને ભોજનની વ્યવસ્થા સાથે સાથે ઓક્સિજનના બાટલા નહતા મળતા ત્યારે કિશોરસિંહે પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર પોતાના ખર્ચે ઓક્સિજન ના બાટલાઓ પુરા પાઙવામા આવ્યા હતા,અને લોકોના જીવ બચાવવી ની ઉત્તમ કામગીરી કરેલ...

        કોરોના નુ સંક્રમણ વધુ ન ફેલાય અને લોકો કોરોનાની ઝપટમા ન આવે તે માટે કિશોરસિંહ દ્ધારા ધાનેરામા જાહેર ઓટોમેટિક સેનેટાઈઝર મશીન લાવવામા આવ્યા હતા...

           વરસાદ ખેંચાતા અબોલ પશુઓ ઘાસ માટે વલખા મારી રહ્યા હતા તેવા સમયે પોતાના ખેતરોમા આઠ વિગા જમીમા પાકેલી ઉભી બાજરી ગાયો માટે આપી દીધી હતી એના સિવાય બિજા લોકોના ખેતરોમાથી પણ બાજરીની ખરીદી કરીને એક મહિના સુધી ગાયો માટે ઘાસ ચારો પુરો પાઙેલ...

        મૂંગા પશુઓ ના ઘાસ ચારાની વાત હોય કે પછી લોક સેવાની ધાનેરા તાલુકા ઉપર આવતી દરેક આપ્પતિઓ વખતે પોતાના પરીવારનુ વિચાર્યા વગર કિશોરસિંહ રાવ હંમેશા સેવામા હજાર જ રહ્યા છે ,સ્વ ચમનીદેવી પુનમાજી રાવ ની પુણ્યતિથી નિમ્મિતે મુખ્ય સહયોગી દાતા બનીને પક્ષી ઘરને ખુલ્લુ મુક્યુ હતુ 

       આના સિવાય પણ કિશોરસિંહ રાવ દ્વારા ધાર્મિક કામોમા અલગ અલગ રિતે 25 લાખ કરતા પણ વધુ દાન કરવામા આવ્યુ છે..

     અહેવાલ 

હિતેશભાઈ પુરોહિત