થરાદમાં બનાસકાંઠા એલ સી બી પોલીસ બાતમી હકીકત આધારે અપહરણ તેમજ ખંડણી માગનાર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને દુધવાતાના માલસીંગ રાજપૂતને ઝડપી પાડ્યો છે એલ સી બી પોલીસે આરોપીને થરાદ પોલીસ ને સોંપી કાયદેસર કાર્યવાહી આગળ ની હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વાડા અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ નાસ્તા ફરતા આરોપઓને પકડી પાડવા માટે સુચના કરેલ હોય જે સુચના અન્વયે માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત થરાદ પોલીસ સ્ટેશન અપહરણ તેમજ ખંડણી માગનાર મુજબના ગુનામાં નાસ્તા ફરતા આરોપી માલસીંગ જીવાજી રાજપુત રહે દુધવાતા થરાદ વાળાઓને પકડી પાડી થરાદ પોલીસ ને સોંપી આગળ ની તપાસ થરાદ પોલીસે હાથ ધરી છે.