ડીસા (મેરૂજી પ્રજાપતિ)

આવતી કાલે 30 એપ્રિલે મનકીબાત કાર્યક્રમનો ૧૦૦મો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.ત્યારે પાલનપુર હોટલ હેલો પોઇન્ટ ખાતે મનકી બાત કાર્યક્રમને અનુલક્ષી બનાસકાંઠા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા એ આજરોજ પ્રેસવાર્તા કરેલ. પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રીક મીડિયાના પત્રકારોને સંબોધન કરતા ભાજપ પ્રમુખશ્રી એ જણાવેલ કે.ભારત સૌ થી વધુ જનસંખ્યા ધરાવતા દેશના સૌ થી મોટી લોકશાહીના પ્રતિનિધિ આપણા માનનીય વડાપ્રધાનમંત્રી શ્રીનરેન્દ્રભાઈ મન કી બાત નો કાર્યક્રમ જન જન કી બાત નો કાર્યક્રમ છે. જનજીવન ઊંચું લાવવા જે લોકો કર્મયોગી બની વિવિધ ક્ષેત્રે કાર્ય કરી રહ્યા છે. તેઓશ્રીના કાર્યની સરાહના કરી અન્ય લોકો માટે પ્રેરણાસ્તોત્ર બને તે માટે કૃષિક્ષેત્રે, પરિયાવરણ , સ્વચ્છતા, વિગેરે ક્ષેત્રે કામ કરતા બનાસકાંઠાના કર્મયોગીને યાદ કર્યા છે. ત્યારે આવતી કાલે યોજાનાર કાર્યક્રમ થી વધુમાં વધુ લોકો અવગત થાય તે માટે મીડિયા મિત્રો એ કાર્યક્રમને વિસ્તૃત રીતે પ્રસિદ્ધ કરવા જણાવેલ.આ પ્રસંગે પ્રદેશ ટીમ માંથી રાજુભાઇ,મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રેયાશભાઈ પ્રજાપતિ, અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન મીડિયાસેલના કન્વીનર ધનેશભાઈ પરમારે કરેલ જ્યારે આભારવિધિ સંજયભાઈ બ્રહ્મ ભટ્ટે કરેલ.