પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ના નિધન પર ડીસા માં ધ્વજ અડધી કાંઠીએ ફરકાવી શોક વ્યક્ત કરાયો..

પંજાબના પૂર્વ મુખ્યાપ્રધાન પ્રકાશ સિંહ બાદલ ના નિધન પર રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે..

ત્યારે ડીસા શહેરમાં પણ સાંઈબાબા મંદિર આગળ રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો હતો..

પંજાબ ના પૂર્વ CM પ્રકાશ સિંહ બાદલ નું 95 વર્ષની વયે નિધન થયું છે, શ્વાસ લેવામાં તકલીફ ની ફરિયાદ બાદ તેમને 16 એપ્રિલે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે 25 એપ્રિલે સાંજે 7.42 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા..

બાદલ દેશ ની રાજનીતિ ના સૌથી જૂના નેતા હતા, તેમના નિધન પર કેન્દ્ર સરકારે બે દિવસ ના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે..

જેમાં દેશભર માં ફરકાવવામાં આવેલો ધ્વજ બે દિવસ સુધી અડધો નમાવી દેવામાં આવ્યો છે..

જે અંતર્ગત ડીસા શહેર માં પણ સાંઇબાબા મંદિર આગળ રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો હતો..

ડીસા શહેર માં સાંઇબાબા મંદિર આગળ 100 ફૂટ ઊંચે ધ્વજ ફરકાવવામાં આવે છે. જેમાં આજે પ્રકાશસિંહ બાદલ ના શોક નિમિત્તે અડધી કાંઠીએ ધ્વજ ફરકાવી શોક વ્યક્ત કરવામાં આવ્યો છે..