મહુવા તાલુકાના વલવાડા ખાતે આજરોજ 25 એપ્રિલ મલેરિયા દિવસના દિવસે ભારત તેમજ ગુજરાત સરકારના.મલેરિયા નાબૂદી કાર્યક્રમ 2030 અંતર્ગત પ્રા. આ.કેન્દ્ર વલવાડા ખાતે મલેરિયા જાગૃતિ રૂપે રેલીનું આયોજન કરેલ હતું જેમાં આરોગ્ય સ્ટાફ,આશા બહેનો હાજર રહ્યા હતા.ઉપરાંત ડો.હિમાંશુ બી.પટેલ મેડિકલ ઓફિસર વલવાડા દ્વારા મલેરિયા રોગ અને તેની ગંભીરતા વિશે લોકોને માહિતગાર કર્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.