તળાજામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. હોસ્પિટલમાં દર્દીના સ્વજનને બહાર બેસવાનુ કહેતા અમાસાજિક તત્વો ઉશ્કેરાઈ ગયા અને હોસ્પિટલમાં તોડફોડ મચાવી હતી. આ ઘટનાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનાને લઇ તળાજા ડૉ. એસોશિયન દ્વારા આ અસામાજિક તત્વો પર કડક પગલા લેવા આવે તેવી માંગ કરી

    ભાવનગરમાં જિલ્લાના તળાજા શહેરના ગોપનાથ રોડ પર આવેલ સદવિચાર હોસ્પિટલમાં ત્રણ અસામાજિક તોફાની તત્વોએ હોસ્પિટલમાં ઘુસી તોડફોડ કરી હતી. દર્દીના સંબંધીને ઈમરજન્સી રૂમની બહાર બેસવાનું કહેતા તોફાની તત્વો ઉશ્કેરાઈ ગયા અને હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. હોસ્પીટલમાં તોડફોડના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ૩ અસામાજિક તત્વો હોસ્પિટલમાં ઘુસીને કોમ્પ્યુટર,મલ્ટી પેરામોનિટર અને દરવાજાના કાચ તોડ્યા હતા. સમગ્ર મામલે મેડિકલ ઓફિસરે તળાજા પોલીસ મથકમાં અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધાવી છે.તેમજ તળાજા ડોક્ટર એસોશિયન દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં ભરી કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી એ માંગને લઈ તળાજા મામલતદાર કચેરીએ ડોક્ટરો એસોશિયન આવેદન પત્ર અપાયું હતું પરંતુ જો આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવે તો તેઓ ગાંધી સિધ્યાં માર્ગે હડતાળ આંદોલન કરવાની ચીમકી ઉચારી હતી