થરાદ ભારત વિકાસ પરીષદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.*

રક્તદાન કરનાર તમામ ને રૂ.૫ લાખ નો પર્સનલ એક્સિડન્ટ વિમો આપવામાં આવેલ.         

                        સેવાકીયા કાર્યો માં અગ્રેસર અને “ વ્યક્તી નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ “ ના ધ્યેય ને વરેલી સંસ્થા ભારત વિકાસ પરીષદ દ્વારા સ્વ.પ્રવિણભાઇ વાઘજીજી બારોટ ની પુણ્ય સ્મૃતિ માં તા : ૨૩-૪-૨૩, રવિવાર ના રોજ સવારે ૮:૦૦ થી ૧:૦૦ સુધી આનંદ નગર પ્રા.શાળા માં ભુમી બ્લડબેંક , પાલનપુર અને નિધિ બ્લડબેંક ,થરાદ ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ નુ સુંદર આયોજન કરવામા આવેલ, આ બ્લડ ડોનેશન કેમ્પ માં થરાદ શહેર અને તાલુકા માંથી રક્તદાતાઓ બહોળી સંખ્યા માં આવેલ, અને ૧૫૧ બોટલ રક્ત એકત્રીકરણ કરવામાં આવેલ.

                     બાળકો ની જન્મજાત થેલેસેમીયા જેવી માંદગીઓ, વધતા અકસ્માતો ,મોટા ઓપરેશન માટે રક્ત ની ખુબજ જરૂર હોય છે, ત્યારે રક્ત દાન કરનાર દરેક દાતા એ રક્તદાન ,મહાદાન સુત્ર ને સાર્થક કરેલ.

                      હજારો પરિવારો નિયમિત સત્યનારાયણ ની કથા , સુંદરકાંડ કે કોઇને કોઇ ધાર્મિક કાર્યો કરે છે તેવીજ રીતે દર ત્રણ મહિને રક્તદાન કરવુ પણ જરૂરી છે, આ બ્લડ ડોનેશન કેમ્પ માં ભારત વિકાસ પરીષદ 

પ્રમુખ જયદિપભાઇ સોની , મંત્રી ડો.હિતેંદ્ર શ્રીમાળી , સહમંત્રી પ્રવિણભાઇ ભાટી , સ્વ.પ્રવિણભાઇ બારોટ ના સુપુત્ર 

હાર્દીક બારોટ , આનંદ નગર શાળા ના આચાર્ય મહેશભાઇ મણવર , નિધિ બ્લડબેંક ના રાજસિહ ડોડીયા, શૈલેષ ઠાકોર,

ભારત વિકાસ પરીષદ ગુજરાત ઉત્તરપ્રાંત ના અધીકારી સંજયભાઇ ત્રીવેદી, પુર્વ પ્રમુખ નરશીભાઇ ચૌધરી           

ભારત વિકાસ પરીષદ વર્ષ ૨૦૨૩-૨૪ ના પ્રમુખ થાનાભાઇ રાજપુત , મંત્રી પ્રકાશભાઇ દવે તેમજ બી.વી.પી ના સભ્યો મોટી સંખ્યા હાજર રહેલ .

બોક્સ: આ બ્લડ કેમ્પ માં દાતાશ્રીઓ નો ઉત્સાહ વધારવા ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી ના પર્સનલ સેક્રેટરી ઇશ્વરભાઇ પટેલ અને હેમજીભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

*અહેવાલ.ધર્મેશ જોષી થરાદ/ બનાસકાંઠા*