છેલ્લા એકાદ વર્ષથી વઢવાણ તાલુકાના કંકાવટી ગામનો યુવાન સગીર વયની દીકરીનું લગ્ન અને બદકામ કરવાના ઇરાદે લલચાવી અને ફોસલાવીને અપહરણ કરી અને ભગાડી ગયો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે એકાદ વર્ષ થવા છતાં પણ આ યુવાનનો પત્તો ન લાગતા આખરે તેને જિલ્લા પોલીસ વડાએ ભાગેડું જાહેર કરવાની ફરજ પડી છે. ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક વખત સગીર વયની છોકરીઓને ભગાડી જવાના બનાવો સામે આવ્યા છે.સુરેન્દ્રનગર જિલ્લાનું પોલીસ તંત્ર હવે કમર કસી અને અગાઉ થયેલી ફરિયાદોમાં પણ સર્વે કરી અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કંકાવટી ગામે સગીરાનું લગ્ન અને બદકામ કરવાના ઇરાદે લલચાવી અને ફોસલાવીને અપહરણ કરી અને ભગાડી જનારા સહદેવ કાળું લાલજી નામના યુવાન સામેં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તેની શોધખોળ આદરવા છતાં છેલ્લા ઘણા વર્ષથી તેનો પત્તો ન લાગવાના કારણે તેને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ ભાગેડું જાહેર કરવાની ફરજ પડી છે.