થરાદ - વાવ સાડસત નાઈ સમાજ આયોજિત શ્રી સેનજી મહારાજની ૭૨૩ મી જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જન્મ જ્યંતી નિમિત્તે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય નાઈ મહાસભા ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી આંબાભાઈ સોલંકી ના માર્ગદર્શન હેઠળ સોમવાર ના રોજ સવારે 9:00 વાગે શ્રી થરાદ નાઈ સમાજની વાડી થી શ્રી સેનજી મહારાજ મંદિર ધર્મશાળા ઢીમાં સુધી આ શોભાયાત્રા નીકળી હતી. શ્રી સેનજી મહારાજ ની ૭૨૩ મી જન્મજયંતી નિમિત્તે આજે રેફરલ હોસ્પિટલ થરાદ માં ગીતાબેન નાઈ સાથે રાષ્ટ્રીય નાઈ મહાસભાના પ્રમુખ રવજીભાઈ નાઈ (કુંભારા) ,સુરેશભાઈ નાઈ (ડોડગામ) નરપતભાઈ નાઈ (સણવાલ), રવજીભાઈ નાઈ (ભાચર) રાષ્ટ્રીય નાઈ મહાસભા ના સચિવ ભીખાભાઈ નાઈ થરાદ ,,સૌ સાથે રહીને થરાદ રેફરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રુટ - બિસ્કીટ નું વિતરણ કરી સેનજી મહારાજની જન્મજયંતિ ની ઉજવણી કરી હતી.થરાદ ના નાઈ સમાજ ના યુવા મિત્રો શોભાયાત્રા માં જોડાયા હતા.સમાજ ના સૌ બધુંઓ સાથે મળી સેનજી મહારાજ ની જન્મ જ્યંતી ની ઉજવણી ને સફળ બનાવી હતી...