સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર પાસે પ્રાથમિક શાળા વઢવાણ. તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા .ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ 2022અને2023 મા યોજાયેલ ધોરણ 8 ની એન.એમ.એમ.એસ. સ્પર્ધાત્મક પરીક્ષામાં ગણપતિ ફાટસર પ્રાથમિક શાળા વઢવાણના 27 વિદ્યાર્થીઓ મેરીટ માં આવી કુલ 35 વિદ્યાર્થીઓ પાસ થતા ઇતિહાસ રચી 100/ ટકા પરિણામ લાવી ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાને આવેલ શાળાના બાળકો તથા શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે નો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ નિલેશ બગડા (નાયબ નિયામક અ. જા. ક) સુરેન્દ્રનગર તથા મુખ્ય મહેમાન શ્રી ઓ મુકેશભાઈ મકવાણા (મેનેજિંગ ડાયરેક્ટર) કસ્તુરબા આશ્રમ ત્રંબા. ખીમજીભાઈ પી સિંધવ પ્રમુખ શ્રી (સર્વોદય ખાદી કેન્દ્ર )જોરાવર નગર. સી ટી ટુંડિયા (પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તા . ભ.)સુરેન્દ્રનગર. શ્રી યુ એન વાઘેલા (નિવૃત્ત કાર્યપાલક ઇજનેર) સુરેન્દ્રનગર. તેમજ વગેરે આગ્રણી મહેમાનો નિવૃત્ત પોલીસ કલ્યાણ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ.