દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ નો સંકલ્પ ,,,કહ્યું હવે કોઈ નું સન્માન નહીં સ્વીકારું.,,દિયોદર ખાતે 6.96 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર દિયોદર ના નવીન મકાન તેમજ સ્ટાફ ક્વોટર ના મકાન નું ભૂમિ-પૂજન દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ ના હસ્તે કરવામાં આવ્યું છે.આ પ્રસંગે દિયોદર ના ધારાસભ્ય એ નિવેદન આપ્યું હતું. જ્યાં સુધી આ વિસ્તારમાં ભૂગર્ભ જળ નો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી કોઈ નું સન્માન નહીં સ્વીકારૂ તેવું નિવેદન આપ્યું હતું. હવે કોઈ પણ કાર્યક્રમ ધારાસભ્ય કોઈ નું સન્માન સ્વીકારશે નહીં.દિયોદર ના ધારાસભ્ય એ સંકલ્પ કર્યો છે.....