શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક મંડળ સંચાલિત ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડા તથા દૂધીબેન ભક્તિભાઈ ભક્ત પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા ધોરણ 6 અને ધોરણ 9 ના વિદ્યાર્થીઓએ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ માર્ચ 2022ની માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (SSE) અને પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE)માં ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું ગૌરવ અપાવ્યું છે ધોરણ 9 ની વિદ્યાર્થીઓ પટેલ વેદાંશી વી.,પટેલ શ્રેયા વી.,પટેલ ઋત્વિ એસ.,પટેલ મહેંક વી.,તથા ધોરણ 6 ની વિદ્યાર્થીઓ પટેલ ધ્રુવી ડી. શ્રેષ્ઠ ગુણાંક પ્રાપ્ત કરી મેરિટમાં ક્લોલીફાઇડ તથા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રમાણપત્ર તથા શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવશે શાળાને ગૌરવ અપાવવા બદલ સંસ્થાના પ્રમુખ સતીષભાઈ પટેલ સંસ્થાના સદસ્યો શાળાના આચાર્ય નિલેશભાઈ પ્રજાપતિ પ્રાથમિક વિભાગના આચાર્ય શૈલેષભાઈ પટેલ તથા તમામ સ્ટાફ દ્વારા શાળાનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.